શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કયો પહેલો જિલ્લો બન્યો કોરોનામુક્ત? જાણીને થઈ જશો ખુશ

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 


ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 


ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 4, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 3, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.  

રાજ્યમાં ગઈકાલે કોરોનાના 70  કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 128 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2467 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 128  દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકા છે. અત્યાર સુધીમાં 2,68,07,725 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. આજે કુલ 2,65,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં કોરોના અંકુશમાં આવ્યો છે જે રાહતની વાત છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.

રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ  કેસ 2 હજાર 467માથી 1 હજાર 849 કેસ એટલે કે 74.94% સાત મહાનગરપાલિકાઓમાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ  પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 2.08 કરોડ એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે. ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. જ્યારે 27 ટકા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. પાટણમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.

તાપીમાં માત્ર 3 એક્ટિવ કેસ છે. જ્યારે 39 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. દાહોદમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 27 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. મોરબીમાં માત્ર 2 એક્ટિવ કેસ અને 31 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ અને 30 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. સુરેંદ્રનગરમાં 6 એક્ટિવ કેસ અને 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. નર્મદામાં 5 એક્ટિવ કેસ, સાબરકાંઠામાં 9, બોટાદમાં 11, કચ્છમાં 11, દ્વારકામાં 12, ખેડામાં 13, મહીસાગરમાં 13,બનાસકાંઠામાં 14 અને ભરૂચમાં 14 એક્ટિવ કેસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Embed widget