![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં આ બેમાંથી એક પાટીદાર મહિલાને સોંપાશે મહિલા કોંગ્રેસની કમાન, બંને હાર્દિક પટેલની નજીક
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે.
![ગુજરાતમાં આ બેમાંથી એક પાટીદાર મહિલાને સોંપાશે મહિલા કોંગ્રેસની કમાન, બંને હાર્દિક પટેલની નજીક Gujarat woman congress command may give to Patidar woman , Gita Patel and Vandana Patel in race ગુજરાતમાં આ બેમાંથી એક પાટીદાર મહિલાને સોંપાશે મહિલા કોંગ્રેસની કમાન, બંને હાર્દિક પટેલની નજીક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/12/04152200/1-hardik-patel-clarification-on-luxurious-life.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે.
આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે એવો સૂત્રોનો દાવો છે.
રાજકોટનાં ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગાયત્રીબાના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે અને બંને પાટીદાર મહિલા છે.
કોંગ્રેસનાં સૂત્રોના મતે વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનું પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. આ કારણે વંદનાબેન પટેલ અને ગીતાબેન પટેલનાં નામ ચર્ચામાં છે.
રસપ્રદ વાત એ છે કે, વંદના પટેલ અને ગીતા પટેલ બંને પાટીદાર અનમાત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયાં છે.
સૂત્રોના મતે, હાલમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ગીતાબેન પટેલ પ્રબળ દાવેદાર છે. ગીતાબેન પટેલ કોંગ્રેસ સંગઠનમા સતત સક્રિય હોવાથી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ શકે છે.
Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોતથી હાહાકાર, હજુ 229 દર્દીઓ વેન્ટિલેટર પર
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈ કાલે ફરી એકવાર વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 8338 કેસ નોંધાયા છે. ગઈ કાલે 38 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. તેમજ હજુ રાજ્યમાં 229 લોકો વેન્ટીલેટર પર છે. 75235 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 5 જ દિવસમાં 166 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 75464 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1083022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10511 લોકોના મોત થયા છે. બીજી તરફ આજે 16629 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.65 ટકાએ પહોંચ્યો છે. આજે 4,49,165 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2654, વડોદરા કોર્પોરેશનમાં 1712, વડોદરા 484, રાજકોટ કોર્પોરેશનમાં 475, સુરત કોર્પોરેશનમાં 257, પાટણ 224, ગાંધીનગર કોર્પોરેશનમાં 223, બનાસકાંઠા 212, કચ્છ 210, રાજકોટ 160, ભરુચ 145, સુરત 137, મહેસાણા 130, મોરબી 116, ખેડા 112, પંચમહાલ 98, આણંદ 95, જામનગર કોર્પોરેશન 95, સાબરકાંઠા 84, વલસાડ 81, ભાવનગર કોર્પોરેશન 80, ગાંધીનગર 64, અમરેલી 61, અમદાવાદ 48, જૂનાગઢ કોર્પોરેશન 46, નવસારી 39, ગીર સોમનાથ 37, સુરેન્દ્રનગર 37, તાપી 34, દાહોદ 33, જૂનાગઢ 30, જામનગર 21, છોટા ઉદેપુર 16, દેવભૂમિ દ્વારકા 16, મહીસાગર 16, ડાંગ 13, ભાવનગર 12, નર્મદા 11, અરવલ્લી 10, બોટાદ 5 અને પોરબંદરમાં 5 કેસ નોંધાયા છે.
આજે કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, સુરત 2,પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, વલસાડ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમરેલી 1, નવસારી 2, જામનગર 1, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગર 3 અને બોટાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 39 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1154 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7808 લોકોને પ્રથમ અને 21030 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30142 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 94186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 36643 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 205480 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 52684 લોકોને અપાયો છે. આજે કુલ 4,49,165 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,83,82,401 લોકોને રસી અપાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)