શોધખોળ કરો

'મેં પણ છેલ્લા 4 મહિનામાં પરિવારના 3 વડિલો ગુમાવ્યા છે', જાણો, હાર્દિક પટેલે કયા સંદર્ભમાં કરી આ વાત?

છેલ્લા બે વર્ષ દરેક પરિવાર દુઃખ અને પરેશાનીમાંથી પસાર થયો છે. કોરોનામાં આવેલા દુઃખથી ઘણા પરિવારોની આંખોના આંસુ હજુ પણ સુકાયા નથી. મેં પણ છેલ્લા ચાર મહિનામાં મારી પરિવારમાં ત્રણ વડીલો ગુમાવ્યા છે.

અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ કરી છે તેમજ પોતાના પરિવારના ત્રણ-ત્રણ સભ્યો છેલ્લા 4 જ મહિનામાં ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કોરોનાકાળને યાદ કરતાં આ પોસ્ટ કરી છે, જેમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. 

હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું છે કે, છેલ્લા બે વર્ષ દરેક પરિવાર દુઃખ અને પરેશાનીમાંથી પસાર થયો છે. કોરોના મહામારીમાં આવેલા દુઃખથી ઘણા પરિવારોની આંખોના આંસુ હજુ પણ સુકાયા નથી. મેં પણ છેલ્લા ચાર મહિનામાં મારી પરિવારમાં ત્રણ વડીલોને ગુમાવ્યા છે. એપ્રીલ અને મેં મહિનામાં મારા મોટા મમ્મી અને મારા પિતા નું નિધન થયું અને આ મહિને મારા દાદા નું પણ નિધન થયું. કોરોના મહામારી માં ઘણા એવા પરિવાર છે જેમણે પરિવારને તૂટતું જોયું છે. પરિવાર માંથી સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે, અને બધા પરિવારની માફક મેં પણ આ દુઃખ છેલ્લા પાંચ મહિનામાં જોયા છે. મારી સંવેદનાઓ આપ સૌની સાથે છે, આપણે સૌ વૈકુંઠ ધામ પામેલા સ્વજનો ની પવિત્ર આત્માની શાંતિ માટે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ. ૐ શાંતિ

નોંધનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પાટીદાર આંદોલન અંગેના કેસ પાછા ખેંચવા રજુઆત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કેસ પાછા ખેંચવાની માગણી કરી છે. અગાઉ સરકારે કેસ પરત કરવાનું વચન આપ્યું હતું, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે.

સુપ્રીમકોર્ટે પણ સરકાર સામે બોલનાર પર રાજદ્રોહનો કેસ ન કરવા કહ્યું છે. પદ્માવતી ફિલ્મના વિરોધ અંગે કરણીસેના સામે થયેલા કેસ પાછા ખેંચાયા છે. પાટીદાર આંદોલન અંગેના પોલીસ કેસ પાછા ખેંચવા કાર્યવાહી કરો, તેમ હાર્દિક પટેલે પત્રમાં રજૂઆત કરી છે.  સરકારે આપેલા વચન પુરા કરવા દરેક મુખ્યમંત્રીની ફરજ છે, તેમ હાર્દિકે પત્રમાં જણાવ્યું છે. 

ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ આપને અભિનંદન પાછવુ છું. ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભલીને સારા કામ કરશો. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો, એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તે આશા રાખું છું. 

પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઉભું કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજે દાન આપીને સંસ્થાઓ ઉભી કરી છે. હવે ગામડાઓમાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે. તેથી ઘણાં કૂટુંબોમાં ગરીબી વધી છે. તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે 2015ના જુલાઇ મહિનામાં પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. તે આંદોલનથી વિવિધ યોજનાઓ થકી પાટીદાર સમેત અનેક સમાજના ગરીબ વર્ગને ફાયદો થયો છે. 

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, એક કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલન કરેલું, તેમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે. જો આંદોલન ખોટું હોત તો તે ફાયદો ન થયો હતો. માત્ર ગુજરાત જ નહીં પણ કેન્દ્રની સરકારે પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Advertisement

વિડિઓઝ

Surat news: સુરતમાં સંજીવની હોસ્પિ.ના તબીબના બેદરકારીથી સગર્ભાનું મોત થયાનો આરોપ
Valsad Rains: વાપીમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ
Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?
Surat BRTS Accident News : પાંડેસરામાં BRTS બસના ચાલકે કર્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
BJP Leader's Letter Bomb: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની ખુદ ભાજપના નેતાએ ખોલી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
IND VS ENG: શું ઋષભ પંત બનશે ભારતનો નવો કેપ્ટન? ચોથી ટેસ્ટ દરમિયાન કોચે આપ્યું મોટું નિવેદન
IND VS ENG: શું ઋષભ પંત બનશે ભારતનો નવો કેપ્ટન? ચોથી ટેસ્ટ દરમિયાન કોચે આપ્યું મોટું નિવેદન
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
પપ્પુ યાદવનો માંડ માંડ જીવ બચ્યો, જ્યાં ઉભા હતા ત્યાં જ શરુ થયું ધોવાણ,ગંગા નદીનું રૌદ્ર સ્વરુપ,જુઓ વીડિયો
પપ્પુ યાદવનો માંડ માંડ જીવ બચ્યો, જ્યાં ઉભા હતા ત્યાં જ શરુ થયું ધોવાણ,ગંગા નદીનું રૌદ્ર સ્વરુપ,જુઓ વીડિયો
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Embed widget