શોધખોળ કરો

મકાન રિડેવલપમેન્ટ માટે આપતાં પહેલા ચેતી જજો, ગુજરાત રેરા કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિવાદમાંથી ઘણું બધું શીખવા મળે છે.

Old building redevelopment Gujarat: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ, અમદાવાદ અને ગુજરાતમાં જૂના મકાનના રિડેવલપમેન્ટમાં ભાગ લેનારા લોકોએ સાવચેત રહેવું જોઈએ. રિડેવલપમેન્ટ માટે જમીન આપનારા જૂના સભ્યોને બિલ્ડરના ભાગીદાર ગણવામાં આવે છે, અને તેથી જો કોઈ વિવાદ થાય તો તેઓ રેરા સમક્ષ ફરિયાદ કરી શકશે નહીં.

આનો અર્થ એ થયો કે જો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કોઈ ખોટી રીતો થાય, બાંધકામમાં વિલંબ, ખરાબ ગુણવત્તા, અથવા કરારનું ઉલ્લંઘન, તો જૂના સભ્યો સિવિલ કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકશે. રેરા આવા વિવાદોમાં કોઈ રાહત આપી શકશે નહીં.

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિવાદમાંથી ઘણું બધું શીખવા મળે છે. આ કેસમાં, જૂના સભ્યો અને બિલ્ડર વચ્ચે કરાર, સમયમર્યાદા, ગુણવત્તા અને સુવિધાઓને લઈને મતભેદ થયો હતો.

આ પ્રોજેક્ટમાં ર૪થી ૩૦ મહિનામાં ફ્લેટ બાંધી આપવાનું ઓફર લેટરમાં જણાવ્યું હતું. ૧૩૦ વારનો નવો ફ્લેટ આપવાનો કરાર બિલ્ડર સાથે કર્યો હતો. રિડેવલપમેન્ટના કરારમાં અમુક જૂના સભ્યની સહી સંમતી લેવાઈ નહોતી. મુકેશ ખત્રી રિડેવલપમેન્ટ રોકવા સિવિલ કોર્ટમાં ગયા હતા. સિવિલ કોર્ટમાં સમાધાન થયું હતું. આ સમાધાનમાં ૨૪થી ૩૦ માસમાં કબજો સોંપવાનું રૂ. ૩૮ લાખમાં એલોટ કરવાનું, સોસાયટીને આપેલી ઓફર મુજબ કોમન એમેનિટીઝ સાથે ફ્લેટ આપવાના કરાર થયા હતા.

કરાર કર્યા છતાં સભ્યને ગિફ્ટ મનીના રૂપિયા૧૦ લાખ ચૂકવવામાં ન આવ્યા અને મોડેથી કબજો આપવાના ગાળાનું વ્યાજ ચૂકવ્યું નથી. તેમ જ એમેનિટીઝ આપવા કરાર કર્યા પછી એમેનિટીઝ આપી નહોતી.

સામાન્ય રીતે, જૂના મકાનોને તોડીને નવા બનાવવામાં આવે છે અથવા તેના ઉપર વધુ માળ બાંધીને વેચવામાં આવે છે. તુષાર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના કિસ્સામાં, મોટાભાગના સભ્યો નવા બનેલા મકાનમાં જ રહે છે અને કેટલાક ફ્લેટ પણ વેચવામાં આવ્યા છે. આ સોસાયટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જૂના સભ્યોને સહ પ્રમોટર ગણવામાં આવે છે.

રેરાના સભ્ય એમ.એ. ગાંધીએ 12 જૂનના ચુકાદામાં જણાવ્યું હતું કે:

  • રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટનો હેતુ ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થતાં વેચાણના વ્યવહારોને નિયંત્રિત કરવાનો છે.
  • પુનર્વસન (rehabilitation) પ્રોજેક્ટ આ કાયદા હેઠળ આવતા નથી.
  • તુષાર એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ રિડેવલપમેન્ટ પુનઃ નિર્માણ નહિ પણ પુનર્વસનનો છે.
  • ફરિયાદી, જમીનના માલિક હોવાને કારણે, પ્રોજેક્ટના સહ પ્રમોટર ગણાય છે.
  • સહ પ્રમોટર અને પ્રમોટર વચ્ચેના વિવાદનો નિવેદો લાવવાની રેરા કોર્ટ પાસે કોઈ સત્તા નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget