શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાનો આતંક, 15 હોસ્પિટલોમાં બેડ જ ખાલી નથી, 10 હોસ્પિટલમાં 2-4 બેડ ખાલી

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 73 હજાર 875 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 69 હજાર 342 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે નવા 621 અને ગ્રામ્યમાં નવા આઠ પોઝિટીવ કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં શુક્રવારે 593 જ્યારે ગ્રામ્યમાં છ દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. વધુ ત્રણ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 2362 પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 73 હજાર 875 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 69 હજાર 342 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાને લઈને ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. ખાનગી હોસ્પિટલોમાં દરરોજ 150થી વધુ દર્દીઓ સારવાર માટે દાખ થઈ રહ્યાં છે.

પરિસ્થિતિ એ આવી છે કે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર કરતી 91 હોસ્પિટલો પૈકી 15 હોસ્પિટલોમાં જ બેડ ખાલી નથી. જ્યારે દસ એવી હોસ્પિટલ છે જેમાં માત્ર બે કે ચાર બેડ જ ખાલી છે. બે દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં 57 દર્દીઓ વેંટીલેટર પર રાખવાની ફરજ પડી છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને ચાર હજાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના  (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.  રાજ્યમાં આજે  2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

એક્ટિવ કેસ 13 હજારને પાર

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21  ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  રાજકોટ  કોર્પોરેશન(RMC)માં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 11  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4539  લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 621, સુરત કોર્પોરેશનમાં 506, વડોદરા કોર્પોરેશનમાં 322, રાજકોટ  કોર્પોરેશનમાં 262, સુરત 138, વડોદરા 53, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશન-43, મહેસાણા-43, પાટણ 42,  મહીસાગર-38, જામનગર કોર્પોરેશન -33,  ખેડા-32, બનાસકાંઠા 30, ગાંધીનગર 29, જામનગર 27, પંચમહાલ 27, ગાંધીનગર કોર્પોરેશન 26, કચ્છ 25, દાહોદ 24, નર્મદા 23, આણંદ 22,  મોરબી-22,  અમરેલી-21,  વલસાડ-21, સુરેન્દ્રનગર-19,  ભાવનગરમાં 17, સાબરકાંઠા 17, ભરૂચ 16 કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2066 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,94,650 છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળીRajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશોSurat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Embed widget