શોધખોળ કરો

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

Nitin Patel: "મહેનત વગર સીધા હોદ્દા જોઈએ છે", યુવાનો અને ભ્રષ્ટાચારીઓને પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ટકોર, કહ્યું- હવે જનતા છેતરાતી નથી.

Nitin Patel: ગુજરાતના રાજકારણમાં પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. મહેસાણાના કડી (Kadi) ખાતે યોજાયેલા એક સહકારિતા સંમેલનમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક હોદ્દા લોભી કાર્યકરો અને ભ્રષ્ટાચારી તત્વોને આડેહાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું, ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઈ છે."

કડીના ચંપાબા ટાઉનહોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે મંચ પરથી રોકડું પરખાવી દીધું હતું. તેમણે વર્તમાન રાજકીય માહોલ, કાર્યકરોની માનસિકતા અને સહકારી ક્ષેત્રના દૂષણો પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપનો ખેસ અને 'ગોરખધંધા' 

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને ધંધા-ગોરખધંધા ચલાવવા માટે ગાડી પર ભાજપનો પટ્ટો કે ખેસ લગાવીને ફરે છે. તેમનો ઈશારો એવા તત્વો તરફ હતો જે પાર્ટીના નામે પોતાના કામ કઢાવે છે. તેમણે ટકોર કરતા કહ્યું, "શરૂઆતમાં કદાચ લોકો છેતરાતા હશે, પણ હવે જનતા બધું જાણે છે. સાચું શું છે તેની બધાને ખબર છે, એટલે હવે લોકો છેતરાતા નથી."

નવા નિશાળિયાઓને શિખામણ: "સીધા હોદ્દા ન મળે" 

આજની યુવા પેઢી અને નવા જોડાયેલા કાર્યકરો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, "છોકરો ભણીને ઉતરે એટલે તરત જ ભાજપનો ખેસ પહેરી લે છે અને સીધી હોદ્દાની માંગણી કરવા લાગે છે." તેમણે કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, અત્યારે સરકારની જાહોજલાલી જોઈને લોકો સંઘર્ષ ભૂલી ગયા છે. તમે કોઈ પરિશ્રમ કે મહેનત કરી નથી, તેથી સીધું પદ મળવું અઘરું છે. કામ કરનારને કોઈ આગળ કરતું નથી અને બધાને માત્ર સત્તા જ જોઈએ છે.

ખેડૂતોના નામે લોન કૌભાંડ પર પ્રહાર 

સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરતા તેમણે પાટણ જિલ્લાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "ઘણીવાર ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે. આવા ભ્રષ્ટાચારને કારણે આજે 2-3 મંત્રીઓ જેલના સળિયા પાછળ છે." તેમણે સહકારી આગેવાનોને ચીમકી આપી હતી કે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં.

"મદદ ન કરો તો કઈ નહીં, પણ કોઈને નડો નહીં" 

પોતાના સંબોધનના અંતે તેમણે ઉપસ્થિત લોકોને એક મહત્વની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સમાજમાં એકબીજાને સહકાર આપવાની ભાવના ઓછી થઈ ગઈ છે. જો તમે કોઈને મદદ ન કરી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ કોઈના કામમાં અડચણરૂપ તો ન જ બનો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું એટલે લોકો આજે 'જય શ્રી રામ' બોલે છે, બાકી સુખમાં ભગવાનને કોઈ યાદ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
Advertisement

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget