શોધખોળ કરો

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

Nitin Patel: "મહેનત વગર સીધા હોદ્દા જોઈએ છે", યુવાનો અને ભ્રષ્ટાચારીઓને પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ટકોર, કહ્યું- હવે જનતા છેતરાતી નથી.

Nitin Patel: ગુજરાતના રાજકારણમાં પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. મહેસાણાના કડી (Kadi) ખાતે યોજાયેલા એક સહકારિતા સંમેલનમાં તેમણે પોતાના જ પક્ષના કેટલાક હોદ્દા લોભી કાર્યકરો અને ભ્રષ્ટાચારી તત્વોને આડેહાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું, ગોરખધંધા કરનારાઓને હવે જનતા ઓળખી ગઈ છે."

કડીના ચંપાબા ટાઉનહોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નીતિન પટેલે મંચ પરથી રોકડું પરખાવી દીધું હતું. તેમણે વર્તમાન રાજકીય માહોલ, કાર્યકરોની માનસિકતા અને સહકારી ક્ષેત્રના દૂષણો પર આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપનો ખેસ અને 'ગોરખધંધા' 

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને ધંધા-ગોરખધંધા ચલાવવા માટે ગાડી પર ભાજપનો પટ્ટો કે ખેસ લગાવીને ફરે છે. તેમનો ઈશારો એવા તત્વો તરફ હતો જે પાર્ટીના નામે પોતાના કામ કઢાવે છે. તેમણે ટકોર કરતા કહ્યું, "શરૂઆતમાં કદાચ લોકો છેતરાતા હશે, પણ હવે જનતા બધું જાણે છે. સાચું શું છે તેની બધાને ખબર છે, એટલે હવે લોકો છેતરાતા નથી."

નવા નિશાળિયાઓને શિખામણ: "સીધા હોદ્દા ન મળે" 

આજની યુવા પેઢી અને નવા જોડાયેલા કાર્યકરો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, "છોકરો ભણીને ઉતરે એટલે તરત જ ભાજપનો ખેસ પહેરી લે છે અને સીધી હોદ્દાની માંગણી કરવા લાગે છે." તેમણે કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, અત્યારે સરકારની જાહોજલાલી જોઈને લોકો સંઘર્ષ ભૂલી ગયા છે. તમે કોઈ પરિશ્રમ કે મહેનત કરી નથી, તેથી સીધું પદ મળવું અઘરું છે. કામ કરનારને કોઈ આગળ કરતું નથી અને બધાને માત્ર સત્તા જ જોઈએ છે.

ખેડૂતોના નામે લોન કૌભાંડ પર પ્રહાર 

સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરતા તેમણે પાટણ જિલ્લાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "ઘણીવાર ખેડૂતોને ખબર પણ નથી હોતી અને મંડળીના મંત્રીઓ તેમના નામે લોન ઉપાડી લે છે. આવા ભ્રષ્ટાચારને કારણે આજે 2-3 મંત્રીઓ જેલના સળિયા પાછળ છે." તેમણે સહકારી આગેવાનોને ચીમકી આપી હતી કે આવું વર્તન સાંખી લેવામાં આવશે નહીં.

"મદદ ન કરો તો કઈ નહીં, પણ કોઈને નડો નહીં" 

પોતાના સંબોધનના અંતે તેમણે ઉપસ્થિત લોકોને એક મહત્વની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સમાજમાં એકબીજાને સહકાર આપવાની ભાવના ઓછી થઈ ગઈ છે. જો તમે કોઈને મદદ ન કરી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ કોઈના કામમાં અડચણરૂપ તો ન જ બનો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું એટલે લોકો આજે 'જય શ્રી રામ' બોલે છે, બાકી સુખમાં ભગવાનને કોઈ યાદ કરતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget