શોધખોળ કરો

CM રૂપાણીએ 20 શહેરોમાં નાઈટ કરફ્યુ સહિતના નિર્ણયો કોને પૂછીને લીધા ? કોની સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કરી જાહેરાત ?

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે યોજવામાં આવેલી વિડીયો કોન્ફરન્સને અંતે પ્રસ્તુત જાહેરાત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશને સ્વીકારીને લગ્ન સમારોહમાં 200ને બદલે 100 મહેમાનોને આમંત્રણ આપવાનું સીમિત કરી દેવામાં આવ્યું છે. 10મી એપ્રિલથી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે.

અમદાવાદઃ  ગુજરાતની વિજય રૂપાણી સરકારે (Gujarat CM Vijay Rupani) રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ ઉપરાંત બીજાં 12 શહેરો મળીને કુલ વીસ શહેરોમાં રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ (Night Curfew) લાગુ કરવાનો મંગળવારે રાત્રે નિર્ણય લીધો હતો.  ગુજરાત સરકારની કોર કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, આ નિર્ણય લેવા માટે પણ વિજય રૂપાણી સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે ચર્ચા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન (Gujarat Lockdown) લાદવું પડે એવી ગંભીર સ્થિતી હોવાની ટકોર કરીને રાજ્યમાં 3-4 દિવસ માટે કરફ્યુ લાદવાનું કહ્યું પછી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. એ પછી તેમણે રાજ્યમાં 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લાદવા સહિતના નિર્ણયોની જાહેરાત કરી હતી.

રાજ્યની ચાર મહાનગર પાલિકાઓમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પહેલેથી નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયેલો જ છે. રૂપાણી સરકારે બુધવારથી  બીજી ચાર મહાનગરપાલિકા જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગ  તેમજ આણંદ, નડિઆદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલી એ 12 શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ નાખવાનો નિર્ણય લીધો હતો.  એપ્રિલ સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે યોજવામાં આવેલી વિડીયો કોન્ફરન્સને અંતે પ્રસ્તુત જાહેરાત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશને સ્વીકારીને લગ્ન સમારોહમાં 200ને બદલે 100 મહેમાનોને આમંત્રણ આપવાનું સીમિત કરી દેવામાં આવ્યું છે. 10મી એપ્રિલથી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. તમામ રાજકીય અને સામાજિક મેળાવડાઓ 30મી એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Corona Second Wave: ગુજરાત સહિત કયા રાજ્યોમાં છે Night Curfew, મિની લોકડાઉન અને અન્ય પ્રતિબંધો, જાણો એક ક્લિકમાં

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget