શોધખોળ કરો

Ahmedabad: મોરબીની દુર્ઘટના બાદ અટલ બ્રિજને લઈને AMCએ લીધો મોટો નિર્ણય

અમદાવાદ: મોરબીમાં બનેલી દુર્ઘટનાની અસર રાજ્યના અનેક શહેરમાં જોવા મળી રહી છે. નોંધનિય છે કે,  દિવાળીની રજાઓમાં ફરવાના સ્થળોએ લોકોની ભીડ જોવા મળતી હોય છે.

અમદાવાદ: મોરબીમાં બનેલી દુર્ઘટનાની અસર રાજ્યના અનેક શહેરમાં જોવા મળી રહી છે. નોંધનિય છે કે,  દિવાળીની રજાઓમાં ફરવાના સ્થળોએ લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદનાં કાંકરીયા અને અટલ બ્રિજ પણ લોકોનો જાણે મેળો જ જામી રહ્યો છે. અમદાવાદની બહારના લોકોની ભીડ અમદાવાદના કાંકરિયા અને અટલ બ્રિજ વધુ જોવા મળે છે. નાના બાળકોથી માંડીને મોટેરાઓ અહીં ઉમટી પડ્યા છે. એવામાં મોરબી હોનારત બાદ AMCએ મોટો નિર્ણય લીધો છે.  અટલ બ્રિજને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક સાથે 3000થી વધુ લોકો નહિ લઇ શકે મુલાકાત. દર કલાકે 3000 લોકોને જ મુલાકાત કરવાનો લાભ મળશે. 12000ની ક્ષમતા હોવા છતાં 3 હજારથી વધુ લોકો નહિ લઇ શકે મુલાકાત.

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે

ગાંધીનગર: મોરબીમાં બનેલી ગોજારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના રાજભવન ખાતે પીએમ મોદીએ મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે.

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે

આ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.

સીએમ કર્યું ટ્વીટ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની  શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.

 નીતિન પટેલનો ધડાકો

મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે. નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
AMC Election Result 2026 : અમદાવાદમાં ભાજપના ગઢ ખાડિયામાં કૉંગ્રેસ પેનલની શાનદાર જીત  
AMC Election Result 2026 : અમદાવાદમાં ભાજપના ગઢ ખાડિયામાં કૉંગ્રેસ પેનલની શાનદાર જીત  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 4 મે સુધી દેશના આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Stock Market: શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને ફટકો
Stock Market: શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 583 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને ફટકો
Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 
Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 
Embed widget