શોધખોળ કરો

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, વડાપ્રધાન મોદીએ કહ્યુ-સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર

આજથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો ભક્તો હાજરી આપશે

Key Events
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Live Updates: PM Modi to participate in inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, વડાપ્રધાન મોદીએ કહ્યુ-સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

Background

આજથી એટલે કે 14 ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. અમદાવાદના ઓગણજ ખાતે એક મહિના સુધી ચાલનાર મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખ સ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.

આજથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો ભક્તો હાજરી આપશે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ પ્રમુખ સ્વામી મહાનગર ઉભું કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદી તથા મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન થશે. આ મહોત્સવમાં પીએમ મોદીની સાથે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેબિનેટના સિનિયર સભ્યો, મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજે ઓછામાં ઓછા 50 હજારથી એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 1થી 3 લાખ મુલાકાતીઓ પ્રવેશે તેવો અંદાજ છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકે એક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે.

આ કાર્યક્રમની છેલ્લા એક વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 80,000 સ્વયંસેવકો આ ભવ્ય કાર્યક્રમની વ્યવસ્થા સંભાળશે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના આ મોટા કાર્યક્રમ માટે ઘણા યુવાનો તેમની નોકરી છોડીને અહીં પહોંચ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.

60 લાખ લોકો ભાગ લેશે

સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS દ્વારા આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે અમદાવાદના રીંગરોડ પર છેલ્લા એક મહિનામાં વિશાળ નગરનું નિર્માણ થયું છે. તેનું નામ પ્રમુખસ્વામી નગર રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 60 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ગુજરાત પહોંચી રહ્યા છે. શતાબ્દી મહોત્સવમાં 21 દેશોના VIP પણ ભાગ લેશે.

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.

20:38 PM (IST)  •  14 Dec 2022

સમાજ કલ્યાણમાં પ્રમુખ સ્વામી મહારાજનું યોગદાન મોટું છે

વડાપ્રધાને કહ્યું કે અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એ સંકટના સમયે પ્રમુખસ્વામીએ મને ફોન કરી કહ્યું હતું કે, તારૂં ઘર તો સામે જ છે. કોઈ તકલીફ નથી ને. મંદિર પરંપરાને પ્રમુખ સ્વામીએ આધુનિક બનાવી છે પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને બદલી છે. સમાજ કલ્યાણમાં પ્રમુખ સ્વામી મહારાજનું યોગદાન મોટું છે. સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરાયા છે. સમાજમાં સંત પણ સામર્થ્યવાન હોવા જોઇએ. સ્વામીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં ફરક ના રાખ્યો.

20:39 PM (IST)  •  14 Dec 2022

ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2012માં શપથ લીધા બાદ બાપાના આશીર્વાદ લીધા હતા. મહત્વપૂર્ણ તબક્કાએ પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. પ્રમુખ સ્વામીએ આપેલી પેનથી ઉમેદવારી કરી હતી. તમામ ચૂંટણીમાં ઉમેદવારી બાપાએ આપેલ પેનથી કરી છે. પ્રમુખ સ્વામી મને દર વર્ષે કુર્તા મોકલતા હતા. કચ્છના ભૂકંપ સમયે સંતોએ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી. મુશ્કેલીના સમયે સ્વામી બાપાના આશીર્વાદ રહ્યા છે. એકતા યાત્રા જમ્મુમાં પહોંચી ત્યારે બાપાના આશીર્વાદ મળ્યા હતા.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget