Rahul Gandhi: ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરશે.

Background
અમદાવાદઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોગ્રેસના નેતાઓ દ્ધારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરશે.
રાહુલ ગાંધીએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત
राहुल गांधी जी 7 सितंबर से कन्याकुमारी से भारत जोड़ो यात्रा का शुभारम्भ कर रहे हैं उससे पहले आज यहां अहमदाबाद में साबरमती आश्रम पहुंचकर महात्मा गांधी जी को नमन कर उनसे आशीर्वाद लिया, बापू की दिखाई राह पर ही देश एक रह सकता है, उसी राह पर राहुल जी भारत जोड़ो यात्रा पर निकल रहे हैं। pic.twitter.com/7wE9v5DNgs
— Ashok Gehlot (@ashokgehlot51) September 5, 2022
ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે
રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે કોગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.





















