શોધખોળ કરો

Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ

Dengue Cases: ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં દર વર્ષ કરતાં દર્દીઓમાં દસ ટકાનો વધારો છે.

Dengue Cases: ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં દર વર્ષ કરતાં દર્દીઓમાં દસ ટકાનો વધારો છે. ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં ૧૦૩ થી ૧૦૬ ડિગ્રી તાવ આવવાની ફરિયાદો આવી રહી હોવાની વાત ડોક્ટરે કરી છે.

અન્ય બીમારી ધરાવતા દરદીઓને એકથી બે સપ્તાહ સુધી અસર રહેવાની સ્થિતિ છે. દિવસના સમયે મચ્છર કરડતા હોવાથી નાગરિકો કાળજી રાખે તેવી તબીબોએ સલાહ આપી છે. નાના બાળકો, વૃદ્ધોને તાવ આવે તો હળવાશથી ના લેવા પણ સલાહ આપવામાં આવી છે. એક દર્દીને સરેરાશ ત્રણથી ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવી જરૂરી છે. આગામી સમયમાં વરસાદનું જોર વધ્યું તો રોગચાળો ફરી માથું ઉચકી શકે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીનો મેળાવળો જ મળે છે. રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે. હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણી જન્ય રોગચાળો માથું ઊંચકે છે. 

કોલેરામાં 9 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. ગત સોમવારના રોજ આજીડેમ પાસે આવેલા બે વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતો. શહેરમાં ડેન્ગ્યુના 22 થી વધુ કેસ જ્યારે ટાઈફોઈડ ના 2 કેસ તેમજ ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે. સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600 થી વધુ કેસ આવ્યા છે. લોકો મચ્છરથી બચવા માટે લોકોએ પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવી જોઇએ. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો. હેતલ ક્યાડાએ નિવેદન આપ્યું હતું. ગત મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40 કેસ આવ્યા હતા.આ મહિનામાં છેલ્લા બાર દિવસમાં અંદાજિત ડેંગ્યુના 15 જેટલા કેસ આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ આવી રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસમાં વધારો થયો છે.

સુરતમાં ડેન્ગ્યુ અને તાવના કેસોમાં વધારો થયો છે. આજે  ડેન્ગ્યુના કારણે સ્વીમેર હોસ્પિટલના મહિલા તબીબનું મોત પણ થયું છે. સુરત મહાનગરપાલિકા નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાગડીયાએ કહ્યું કે, ગત 1થી 12 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 39 અને  મેલરીયા 55 કેસ આવ્યા છે. આ વખતે જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને SMCમાં 1500 જેટલાં આરોગ્ય કર્મચારીઓ કાર્યરત છે. 900 કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે. તે ઉપરાંત 686 જેટલો કર્મચારીઓ સર્વલેન્સ સ્ટાફ પણ છે.

SMC આરોગ્ય દ્વારા ત્રણ મહિનામાં 26.60.000 જેટલાં ઘરોમાં સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં 68 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવ્યા હતા. તે સાથે 8000 જેટલી નોટિસ આપી કુલ રૂપિયા 22.50.000 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાંથી 400 સાઈડને નોટિસ આપી તેમની પાસેથી કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધારે કેસો ખાસ કરીને ડિંડોલી,ઉધના,પાંડેસરા,બામરોલી વિસ્તારમાંથી આવ્યા છે.

તો બીજી તરફ વડોદરામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં પણ કતારો લાગી છે. આરએમઓ ડો.હિતેન્દ્ર ચૌહાણ સમીક્ષા માટે ઓપીડી ખાતે આવ્યા હતા. એસ.એસ.જી હોસ્પિટલના આર.એમ.ઓ ડો.હિતેન્દ્ર ચૌહાણે કહ્યું કે, પુર પછી રોગચાળામાં વધારો તો થયો જ છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે. 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. હાલ એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જોકે,હોસ્પિટલ પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે. ડેન્ગ્યુના અત્યાર સુધી 262 કેસ નોંધાયા છે. હાલમાં તેનાથી કોઈનું મોત થયું નથી. જ્યારે મેલેરિયાના 132 કેસ, ચિકનગુનિયાના 96 કેસ, ટાઇફોઇડના 56 કેસ, ઝાડા ઉલટીના 1460 કેસ અને તાવના 2102 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો...

Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Chandra Grahan 2024: આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ મકર સહિત આ 2 રાશિ માટે રહેશે પ્રતિકૂળ, જાણો શું રાખવી સાવધાની
Today Horoscope:  કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today Horoscope: કન્યા સહિત આ રાશિના જાતકને રોકાણમાં મળશે બમણો લાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Embed widget