![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં 7 માર્ચે થશે વાતાવારણમાં પલટો, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી છે કે, 7 માર્ચના દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. નર્મદા, ડાંગ , તાપીમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમની શકયતા છે.
![ગુજરાતમાં 7 માર્ચે થશે વાતાવારણમાં પલટો, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી South Gujarat may found unseasional rain on 7th March 2022 ગુજરાતમાં 7 માર્ચે થશે વાતાવારણમાં પલટો, ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/04/720ae6d3421d56c97a051e6e2f140185_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી છે કે, 7 માર્ચના દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા છે. નર્મદા, ડાંગ , તાપીમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમની શકયતા છે. અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.અને તાપમાન યથાવત રહેવાનું અનુમાન છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1250 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 12 લોકો વેન્ટીલેટર પર છે. 1238 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,10,850 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 51, ડાંગમાં નવ, વડોદરા કોર્પોરેશનમાં સાત, તાપીમાં છ, વડોદરામાં છ, બનાસકાંઠામાં પાંચ, ગાંધીનગરમાં પાંચ, કચ્છમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, સુરતમાં ત્રણ, ભાવનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં બે, મહેસાણામાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, નવસારી, પાટણમાં, સુરત કોર્પોરેશન અને વલસાડમાં એક-એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતા.
તે સિવાય અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને સાબરકાંઠામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.
બીજી તરફ આજે 305 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.00 ટકાએ પહોંચ્યો છે. આજે 98,958 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 1 લોકોના મોત થયા છે. સુરતમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.
જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબૂતાઈથી લડી રહી છે. રાજ્યમાં આજે 18-45 વર્ષના નાગરિકો પૈકી 8462 ને રસીનો પ્રથમ જ્યારે 31,654 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 1897 ને પ્રથમ જ્યારે 41,731 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15,214ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 98,958 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,31,93,784 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)