શોધખોળ કરો

AICC convention: ગાંધી અને સરદારની ભૂમિ પર પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા: CWC બેઠકમાં બોલ્યા ખડગે  

ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં  CWCની બેઠક શરૂ થઈ છે. CWCની બેઠકનીશરુઆતમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગાંધી અને સરદારને યાદ કર્યા હતા.  તેમણે કહ્યું કૉંગ્રેસના 140 વર્ષના ઈતિહાસમાં  જે પ્રાંતમાં સૌથી વધુ શક્તિ મળી જેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીં પ્રેરણા અને શક્તિ લેવા માટે આવ્યા છીએ. 
 
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની CWC બેઠકમાં સ્પીચ 


● આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસના અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી મારા ગૃહ રાજ્ય કર્ણાટકના બેલંગાવ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. આ શતાબ્દી સમારોહ અમે 26 ડિસેમ્બરે કર્ણાટકમાં ઉજવણી કરી હતી.
● મિત્રો, ગુજરાતની ધરતી પર જન્મેલી ત્રણ મહાન હસ્તીઓએ સમગ્ર વિશ્વમાં કોંગ્રેસનું નામ રોશન કર્યું.
● દાદા ભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ – તે બધા આપણી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા.
● ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એક એવું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે તેની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી
● આજે Communal Division કરીને દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, Oligarchic Monopoly દેશના સંસાધનો પર નિયંત્રણ લઈને શાસનને નિયંત્રિત કરવાના માર્ગ પર છે.
● મિત્રો, જે રીતે ગાંધીજીના નેતૃત્વમાં ચંપારણ સત્યાગ્રહ સફળ થયો હતો અને તેણે દરેક ગામમાં કોંગ્રેસના મૂળિયા સ્થાપિત કરવામાં મદદ કરી હતી, તેવી જ રીતે ગુજરાતમાં સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ અને અન્ય ખેડૂત આંદોલનો ઈતિહાસમાં અમર છે.
● આ વર્ષે 31મી ઓક્ટોબરે સરદાર પટેલજીની 150મી જન્મજયંતિ છે. નેહરુજી તેમને “ભારતની એકતાના સંસ્થાપક” કહેતા હતા. અમે તેમની 150મી જન્મજયંતિ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવીશું.
● સરદાર સાહેબ કોંગ્રેસના પ્રમુખ હતા. તેમના નેતૃત્વ હેઠળ કરાચી કોંગ્રેસમાં મૌલિક અધિકારો પરના ઠરાવો એ ભારતીય બંધારણનો આત્મા છે.
● સરદાર પટેલ બંધારણ સભાની મહત્વની '‘Advisory Committee on Fundamental Rights, Minorities and Tribal and excluded areas’ ના અધ્યક્ષ હતા.
● મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી અનેક રાષ્ટ્રીય નાયકો સામે એક સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
● 140 વર્ષ સુધી દેશની સેવા અને સંઘર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતી કોંગ્રેસ પાર્ટી સામે વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ કામ એવા લોકો કરી રહ્યા છે જેમની પાસે પોતાની સિદ્ધિઓ તરીકે બતાવવા માટે કંઈ નથી. સ્વતંત્રતાની લડાઈમાં પોતાના યોગદાનને બતાવવા માટે કંઈ નથી.
● તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવું ચિત્રિત કરવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયક એકબીજાની વિરુદ્ધમાં  હતા.
● જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે.
● હું ખાસ કરીને 1937માં ગુજરાત વિદ્યાપીઠ ખાતે સરદાર પટેલ દ્વારા આપેલા ભાષણનો ઉલ્લેખ કરવા માંગુ છું. તે સમયે નહેરુજી કોંગ્રેસના પ્રમુખ હતા અને ગુજરાતના યુવાનો ઇચ્છતા હતા કે નહેરુજીને પ્રાંતીય ચૂંટણીમાં પ્રચાર માટે બોલાવવામાં આવે.
● સરદાર પટેલે 7 માર્ચ 1937ના રોજ કહ્યું હતું કે, "જે દિવસે ગુજરાત આ ચૂંટણી આંદોલનમાં વિજયી બનશે અને કોંગ્રેસ પ્રત્યેની પોતાની વફાદારી સાબિત કરશે, ત્યારે અમે કોંગ્રેસના પ્રમુખ નહેરુજીને ફૂલોથી આવકારીશું અને ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરીશું." 

● તમે આના પરથી સમજી શકો છો કે સરદાર નેહરુજીને કેટલો પ્રેમ કરતા હતા. 14 ઓક્ટોબર 1949ના રોજ સરદાર પટેલે નહેરુજીને તેમના અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે "છેલ્લા બે મુશ્કેલ વર્ષોમાં નહેરુજીએ દેશ માટે જે અથાગ પ્રયાસો કર્યા છે તે મારાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી. આ સમયગાળા દરમિયાન, મેં તેમને મોટી જવાબદારીઓના બોજને કારણે ખૂબ જ ઝડપથી વૃદ્ધ થતા જોયા છે."
● આ વસ્તુઓ જાહેર રેકોર્ડમાં નોંધાયેલ છે. બંને વચ્ચે લગભગ રોજેરોજ પત્રવ્યવહાર થતો હતો. નેહરુજી દરેક વિષય પર તેમની સલાહ લેતા હતા.
● નેહરુજીને પટેલ સાહેબ માટે અપાર આદર હતો. જ્યારે પણ તેમને કોઈ સલાહની જરૂર પડતી ત્યારે તેઓ પોતે પટેલજીના ઘરે જતા. પટેલજીની સુવિધા માટે તેમના નિવાસસ્થાને CWCની બેઠકો યોજાઈ હતી.
● મિત્રો, સરદાર પટેલની વિચારધારા આરએસએસના વિચારોથી વિપરીત હતી. તેમણે આરએસએસ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. પરંતુ આજે એ સંસ્થાના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરે છે તેના પર હસવું આવે છે.
● ગાંધીજી અને સરદાર પટેલે બાબા સાહેબ ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
● ડૉ. આંબેડકરે પોતે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે "કોંગ્રેસ પાર્ટીના સહકાર વિના બંધારણ ન બની શક્યું હોત."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget