શોધખોળ કરો
રાજદ્રોહ કેસ: ચીરાગ પટેલ અને અલ્પેશ કથીરીયા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર
આગામી સુનાવણી ૨૩ ડિસેમ્બરે હાથ ધરાશે.

અમદાવાદઃ ભાજપના નેતા ચિરાગ પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથીરિયા વિરુદ્ધ અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું છે. બંન્ને નેતાઓ મુદ્દત દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું છે. આગામી સુનાવણી ૨૩ ડિસેમ્બરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજી કોમી વૈમનસ્ય ફેલાવવાના, સમાજમાં અરાજકતા અને વર્ગવિગ્રહ ફેલાવવાના તેમ જ સરકાર સામે યુદ્ધે ચડવાના ઇરાદાના રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ ત્રણ વર્ષ બાદ સેશન્સ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો હતો.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















