શોધખોળ કરો

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ

અમદાવાદ: અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા વનતારાએ ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.

અમદાવાદ: અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા વનતારાએ ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી જ્યારે રથયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા, જેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

 ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડૉ. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી. 

જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે,જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છે, જે 998 એકરમાં ફેલાયેલું છે, તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ, માનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસ, ભીખ માંગવા, પર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. 

આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છે, જેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે. તેની સુવિધાઓમાં હાઇડ્રોથેરાપી પૂલ, કુદરતી તળાવો, કાદવના ઢગલા, પાણીના ફુવારા, રેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે - જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. 

વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે - જેમાં પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે - જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિક, કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Embed widget