શોધખોળ કરો

Amit Shah On Emergency: સત્તાના મોહમાં જનતાના અધિકારોનું હનન,ઇમરજન્સી એનેવર્સરિ પર અમિત શાહે શું કહ્યું?

વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

48th Emergency Anniversary: વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા  રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

વર્ષ 1975માં 25 જૂને ભારતમાં  ઈમરજન્સી લાદવામાં આવી હતી. જેને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. 21 મહિના સુધી ચાલી રહેલી આંતરિક કટોકટીની વર્ષગાંઠના અવસર પર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે.  અન્ય રાજકીય પક્ષોએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓ કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને ન ભૂંસી શકાય તેવું  કલંક ગણાવ્યું.

 

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "1975માં આ દિવસે એક પરિવારે લોકોના અધિકારો છીનવીને અને સત્તા ગુમાવવાના ડરથી લોકશાહીની હત્યા કરીને દેશમાં ઈમરજન્સી લાદી હતી."

ન ભૂસી શકાય તેવું કલંક

તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે, “સત્તા ખાતર લાદવામાં આવેલી કટોકટી કોંગ્રેસની સરમુખત્યારશાહી માનસિકતાનું પ્રતિક અને ન મિટાવી શકાય તેવું કલંક છે. તે મુશ્કેલ સમયમાં લાખો લોકોએ અનેક યાતનાઓ સહન કરીને લોકશાહીને પુનર્જીવિત કરવા સંઘર્ષ કર્યો. હું એ તમામ દેશભક્તોને હૃદયપૂર્વક વંદન કરું છું.

આ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય લોકશાહીના ઈતિહાસમાં 48 વર્ષ પછી પણ ઈમરજન્સીને કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. જે રીતે બંધારણને તાક પર   રાખીને રાતોરાત ઈમરજન્સી લાદવામાં આવી હતી તે આજે પણ સત્તાના દુરુપયોગ, મનસ્વીતા અને સરમુખત્યારશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે.

બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ભારતની મહાન લોકશાહીને અકબંધ રાખવા માટે ડર્યા વિના, ડગમગ્યા વિના, ઝૂક્યા વિના ક્રૂર સરમુખત્યારશાહીનો ઉગ્રતાથી પ્રતિકાર કરનારા તમામ શહીદોને સલામ!

સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટમાં ઈમરજન્સીના નિર્ણયની ટીકા કરતા તેમણે ભાજપ પર પણ  નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, “25 જૂન 1975ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીનું સૌથી દુ:ખદ પ્રકરણ હતું. જેઓ એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરતા હતા, આજે તેઓ સત્તા પર બેસીને જનતા પર અઘોષિત ઈમરજન્સી લાદી દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા છે. ઈમરજન્સી સામે ઉઠેલા દરેક અવાજને સલામ.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા
New Labour Codes 2026: હવે બેકાર નહીં જાય બચી ગયેલી રજાઓ, દર વર્ષે તેના બદલામાં મળશે રૂપિયા

વિડિઓઝ

RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
Embed widget