શોધખોળ કરો

Amit Shah On Emergency: સત્તાના મોહમાં જનતાના અધિકારોનું હનન,ઇમરજન્સી એનેવર્સરિ પર અમિત શાહે શું કહ્યું?

વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

48th Emergency Anniversary: વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા  રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

વર્ષ 1975માં 25 જૂને ભારતમાં  ઈમરજન્સી લાદવામાં આવી હતી. જેને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. 21 મહિના સુધી ચાલી રહેલી આંતરિક કટોકટીની વર્ષગાંઠના અવસર પર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે.  અન્ય રાજકીય પક્ષોએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓ કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને ન ભૂંસી શકાય તેવું  કલંક ગણાવ્યું.

 

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "1975માં આ દિવસે એક પરિવારે લોકોના અધિકારો છીનવીને અને સત્તા ગુમાવવાના ડરથી લોકશાહીની હત્યા કરીને દેશમાં ઈમરજન્સી લાદી હતી."

ન ભૂસી શકાય તેવું કલંક

તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે, “સત્તા ખાતર લાદવામાં આવેલી કટોકટી કોંગ્રેસની સરમુખત્યારશાહી માનસિકતાનું પ્રતિક અને ન મિટાવી શકાય તેવું કલંક છે. તે મુશ્કેલ સમયમાં લાખો લોકોએ અનેક યાતનાઓ સહન કરીને લોકશાહીને પુનર્જીવિત કરવા સંઘર્ષ કર્યો. હું એ તમામ દેશભક્તોને હૃદયપૂર્વક વંદન કરું છું.

આ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય લોકશાહીના ઈતિહાસમાં 48 વર્ષ પછી પણ ઈમરજન્સીને કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. જે રીતે બંધારણને તાક પર   રાખીને રાતોરાત ઈમરજન્સી લાદવામાં આવી હતી તે આજે પણ સત્તાના દુરુપયોગ, મનસ્વીતા અને સરમુખત્યારશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે.

બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ભારતની મહાન લોકશાહીને અકબંધ રાખવા માટે ડર્યા વિના, ડગમગ્યા વિના, ઝૂક્યા વિના ક્રૂર સરમુખત્યારશાહીનો ઉગ્રતાથી પ્રતિકાર કરનારા તમામ શહીદોને સલામ!

સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટમાં ઈમરજન્સીના નિર્ણયની ટીકા કરતા તેમણે ભાજપ પર પણ  નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, “25 જૂન 1975ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીનું સૌથી દુ:ખદ પ્રકરણ હતું. જેઓ એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરતા હતા, આજે તેઓ સત્તા પર બેસીને જનતા પર અઘોષિત ઈમરજન્સી લાદી દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા છે. ઈમરજન્સી સામે ઉઠેલા દરેક અવાજને સલામ.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget