શોધખોળ કરો

Amit Shah On Emergency: સત્તાના મોહમાં જનતાના અધિકારોનું હનન,ઇમરજન્સી એનેવર્સરિ પર અમિત શાહે શું કહ્યું?

વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

48th Emergency Anniversary: વર્ષ 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને આજે 48 વર્ષ પૂરા થયા. 25 જૂને દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જેને યાદ કરતા  રાજકીય પ્રતિક્રિયા સામે આવી રહી છે.

વર્ષ 1975માં 25 જૂને ભારતમાં  ઈમરજન્સી લાદવામાં આવી હતી. જેને આજે  48 વર્ષ પૂર્ણ થયા છે. 21 મહિના સુધી ચાલી રહેલી આંતરિક કટોકટીની વર્ષગાંઠના અવસર પર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે.  અન્ય રાજકીય પક્ષોએ પણ આ અંગે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓ કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને ન ભૂંસી શકાય તેવું  કલંક ગણાવ્યું.

 

એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, "1975માં આ દિવસે એક પરિવારે લોકોના અધિકારો છીનવીને અને સત્તા ગુમાવવાના ડરથી લોકશાહીની હત્યા કરીને દેશમાં ઈમરજન્સી લાદી હતી."

ન ભૂસી શકાય તેવું કલંક

તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે, “સત્તા ખાતર લાદવામાં આવેલી કટોકટી કોંગ્રેસની સરમુખત્યારશાહી માનસિકતાનું પ્રતિક અને ન મિટાવી શકાય તેવું કલંક છે. તે મુશ્કેલ સમયમાં લાખો લોકોએ અનેક યાતનાઓ સહન કરીને લોકશાહીને પુનર્જીવિત કરવા સંઘર્ષ કર્યો. હું એ તમામ દેશભક્તોને હૃદયપૂર્વક વંદન કરું છું.

આ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું, “ભારતીય લોકશાહીના ઈતિહાસમાં 48 વર્ષ પછી પણ ઈમરજન્સીને કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. જે રીતે બંધારણને તાક પર   રાખીને રાતોરાત ઈમરજન્સી લાદવામાં આવી હતી તે આજે પણ સત્તાના દુરુપયોગ, મનસ્વીતા અને સરમુખત્યારશાહીનું સૌથી મોટું ઉદાહરણ છે.

બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "ભારતની મહાન લોકશાહીને અકબંધ રાખવા માટે ડર્યા વિના, ડગમગ્યા વિના, ઝૂક્યા વિના ક્રૂર સરમુખત્યારશાહીનો ઉગ્રતાથી પ્રતિકાર કરનારા તમામ શહીદોને સલામ!

સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ સિંહ યાદવે પણ ઈમરજન્સીની વર્ષગાંઠ પર પ્રતિક્રિયા આપી હતી. એક ટ્વિટમાં ઈમરજન્સીના નિર્ણયની ટીકા કરતા તેમણે ભાજપ પર પણ  નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, “25 જૂન 1975ના રોજ તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી ભારતીય લોકશાહીનું સૌથી દુ:ખદ પ્રકરણ હતું. જેઓ એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરતા હતા, આજે તેઓ સત્તા પર બેસીને જનતા પર અઘોષિત ઈમરજન્સી લાદી દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યા છે. ઈમરજન્સી સામે ઉઠેલા દરેક અવાજને સલામ.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget