![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Madhya Pradesh : જબલપુર એરપોર્ટ 54 યાત્રીઓ સાથેનું વિમાન રનવે પરથી ઉતર્યું, જાણો પછી શું થયું
Jabalpur News : દિલ્હીથી જબલપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર E-9167 સાથે શનિવારે સવારે આ અકસ્માત થયો હતો.
![Madhya Pradesh : જબલપુર એરપોર્ટ 54 યાત્રીઓ સાથેનું વિમાન રનવે પરથી ઉતર્યું, જાણો પછી શું થયું An Air inda aircraft with around 55 passengers onboard from Delhi, went off the runway at Jabalpur Madhya Pradesh Madhya Pradesh : જબલપુર એરપોર્ટ 54 યાત્રીઓ સાથેનું વિમાન રનવે પરથી ઉતર્યું, જાણો પછી શું થયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/12/919700ed20931aaa714edd43a4bdd391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhya Pradesh : મધ્યપ્રદેશના જબલપુરના ડુમના એરપોર્ટ પર શનિવારે સવારે એર ઈન્ડિયાનું એક વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું. રાહતની વાત એ છે કે વિમાનમાં દિલ્હીથી જબલપુર આવેલા 54 મુસાફરોને કંઈ થયું નથી. પ્લેન લેન્ડિંગ દરમિયાન લપસી ગયું અને રેવમાંથી બહાર નીકળી ગયું. પાઇલોટે સમજદારી બતાવી બાદમાં પ્લેનને રનવે પર લાવવામાં સફળ થયો હતો.
દિલ્હીથી જબલપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર E-9167 સાથે શનિવારે સવારે આ અકસ્માત થયો હતો. લેન્ડિંગ બાદ તરત જ એરક્રાફ્ટ બેકાબૂ રીતે રનવે પરથી ઉતરી ગયું હતું. વિમાનમાં બેઠેલા મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો.
Madhya Pradesh | Runway excursion occurred at Jabalpur. An Alliance Air ATR-72 aircraft, with around 55 passengers onboard from Delhi, went off the runway at Jabalpur.
— ANI (@ANI) March 12, 2022
All passengers are safe. pic.twitter.com/UluvwbZhHY
વિમાન રનવે પરથી ઉતરીને એર સ્ટ્રીપની બાજુમાં પડેલા કાદવમાં ખુંચી ગયું હતું. જેના કારણે એરક્રાફ્ટના આગળના ભાગમાં લગાવેલ લેન્ડિંગ ફ્રન્ટ વ્હીલ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સમાચાર મળતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ રનવે પર પહોંચ્યા અને વિમાનમાં સવાર મુસાફરોને સાંત્વના આપી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ અધિકારીઓએ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને રનવે પર બોલાવી હતી. એર ઈન્ડિયાની નિયમિત ફ્લાઈટ સાથે આ અકસ્માતમાં કેવી રીતે થયો તે અંગે અધિકારીઓ મૌન છે. તેમણે ફ્લાઇટ અનિયંત્રિત થવાને કારણે રનવે પરથી લપસી જવાની ઘટનાની તપાસની વાત કરી હતી.
આ પણ વાંચોઃ
DELHI : દિલ્લીના નવા 'બોસ' બનશે પ્રફુલ્લ પટેલ? કેજરીવાલે ટ્વીટ કરી ઉઠાવ્યાં સવાલ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના સૈનિકોની માતાઓનું શું કરી અપિલ, જાણો યુદ્ધનું અપડેટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)