શોધખોળ કરો

Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

Bhavnagar News: આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

Bhavnagar News: આખરે ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આમ ભાવનગરમાં 27 વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માંગ પર આજે મહોર લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવતા હતા. તે માટે અનેક વખત આવેદન પત્રો અને રેલીઓ કાઢી રજુઆત પણ કરવામાં આવી હતી.


Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજુઆત અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.

10 દિવસનું આપવામાં આવ્યું હતુ અલ્ટિમેટમ

ભાવનગરમાં અશાંતધારો લાગું કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા ત્રણ દિવસ પહેલા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ અંગે હિન્દુ સંગઠનના  અશોક ગોહિલે કહ્યું કે,  હિંદુત્વ વાદીની સરકારમાં 27 વર્ષથી ભાવનગરમાં હિંદુ સંગઠન દ્વારા અશાંતધારાની માંગ થઈ રહી છે. સંગઠન દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જે પૂરું થતા શહેરના મોખડાજી સર્કલ ખાતે સૂત્રોચાર સાથે દેખાવ કર્યો હતો. ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘરની બહાર રામધુનનો કાર્યક્રમ રાખેલ હતો પરંતુ પોલીસ દ્વારા ઘર પર પહોંચે તે પહેલાં હિંદુ સંગઠનને અટકાવી દીધું હતું પરંતુ બીજું ગ્રૂપ છુપી રીતે MLA નાં ઘરની બહાર પહોંચી જઈ સૂત્રોચાર કર્યા હતા. હિન્દુ સંગઠનનું માનવું છે કે નબળી નેતાગીરીના કારણે ભાવનગરમાં અશાંતધારો લાગુ થતો નથી.


Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

ભૂતકાળમાં ભાવનગરે અનેક કોમી રમખાણ જોયા છે જેનું સાક્ષી ભાવનગર રહ્યું છે. અશાંતધારાની માંગ આજકાલથી નહીં પરંતુ 27 વર્ષથી થઈ રહી છે. ભાવનગર શહેર વિસ્તારમાં અનેક એવા ડિસ્ટર્બ એરિયા છે કે જ્યાં વિધર્મી લોકો દ્વારા અનેક સોશાયટી વિસ્તારમાં પ્રવેશ કરીને મકાનોની લે વેચ કરી છે. સોદા કર્યા છે. જેમાં ક્રેસન્ટ વિસ્તાર, હલુંરીયા ચોક, ગીતા ચોક, ઘોઘા સર્કલ, ગૌરીશંકર, મોખડા જી સર્કલ, વડવા સહિતના વિસ્તાર સામેલ છે જ્યાં અનેક હિંદૂઓને ઘર છોડીને જવું પડ્યું છે જ્યારે અનેક વિસ્તારમાં તો વિધર્મીઓએ પ્રવેશ ન કરવા માટે હિન્દૂ સોસાયટીમાં વિસ્તાર દ્વારા જ બોર્ડ લગાવવામાં આવ્યા છે.


Bhavnagar: આખરે 27 વર્ષથી ચાલતી લડતનો થયો વિજય, હિંદુ સંગઠનોના અલ્ટિમેટમ બાદ ભાવનગરમાં અશાંતધારો લાગુ

જોકે ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા પણ અશાંતધારાને લઇ ખૂબ રાજકારણ કરવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા હિન્દુઓના મત લેવા માટે વચનો આપવામાં આવે છે. આજે એ જ વચનોને લઈ હિન્દુ સંગઠનો ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યા, જીતુ વાઘાણી શહીત ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળનાં ઘરે આવનારા દિવસોમાં હિંદુ સંગઠન કાર્યક્રમ આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

North Gujarat । કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને નુકસાનGujarat Weather । 2 દિવસની રાહત બાદ રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી વર્તાઈSurat News । સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર જોખમી દ્રશ્યો આવ્યા સામેAmreli News । અમરેલીના બાબરામાં કમોસમી વરસાદથી થયું નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Kesar Mango:માવઠાની  કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Kesar Mango:માવઠાની કેસર કેરીની કિંમત પર અસર, ભાવમાં આશિંક ઘટાડો, જાણો રિટેલ અને વ્હોલસેલની કિંમત
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો  ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Cooking Method: નોન સ્ટીકમાં બનાવી રહ્યા છો રસોઈ તો ICMR પાસેથી જાણી લો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તમે, જાણો ક્યા વાસણ છે બેસ્ટ
Vodafone Idea Q4 Results: વોડાફોન આઈડિયાએ જાહેર કર્યું ચોથા ક્વાર્ટરનું પરિણામ, કંપનીને 7675 કરોડ રૂપિયાનું નુકસાન
Vodafone Idea Q4 Results: વોડાફોન આઈડિયાએ જાહેર કર્યું ચોથા ક્વાર્ટરનું પરિણામ, કંપનીને 7675 કરોડ રૂપિયાનું નુકસાન
કેન્સર કેમ બની રહી છે મહામારી, પાંચ વર્ષમાં આ મોટી હસ્તીઓએ ગુમાવ્યો જીવ
કેન્સર કેમ બની રહી છે મહામારી, પાંચ વર્ષમાં આ મોટી હસ્તીઓએ ગુમાવ્યો જીવ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરનારો વિભવ કુમાર કેજરીવાલની સાથે પ્રચારમાં
Swati Maliwal: સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરનારો વિભવ કુમાર કેજરીવાલની સાથે પ્રચારમાં
Embed widget