શોધખોળ કરો

Bhavnagar: જાણો દેશભરમાંથી જૈન સમાજના લોકો કેમ પહોંચી રહ્યા છે પાલીતાણા, કોની સામે કાર્યવાહી કરવાની કરી રહ્યા છે માગ

ભાવનગર:  પાલીતાણા શેત્રુંજી પર્વત પર ચાલી રહેલા વિવાદને દેશભરમાંથી જૈન સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ, કર્ણાટક સહિતના રાજ્યમાંથી જૈન સમુદાયના લોકો ભાવનગર આવી રહ્યા છે.

ભાવનગર:  પાલીતાણા શેત્રુંજી પર્વત પર ચાલી રહેલા વિવાદને દેશભરમાંથી જૈન સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે. બેંગ્લોર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ, કર્ણાટક સહિતના રાજ્યમાંથી જૈન સમુદાયના લોકો ભાવનગર આવી રહ્યા છે. હિન્દુ સમાજના બે સમુદાય વચ્ચે શેત્રુંજી પર્વત પર સૂરજ કુંડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરને લઈ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આજે 20,000 થી વધુ જૈન સમુદાયના લોકો એકઠા થઈને મૌન રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવશે. તમને જણાવી દઈએ કે, પાલીતાણા શેત્રુંજી પર્વત જૈન સમાજ માટે સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર રહેલું છે. દેશભરમાંથી પરિક્રમા માટે ભક્તો આવતા હોય છે.

પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાઈ

તો બીજી તરફ આજે પાલીતાણા ખાતે વિશાળ રેલી યોજાવાની છે. આ રૈલી શત્રુંજય ગિરિરાજની તળેટીથી કલેક્ટર કચેરીએ પહોંચશે. શત્રુંજય ગિરિરાજની પર્વતની તળેટીએ આતંક મચાવનારા, માઇનિંગ કરનારા, દારૃના અડ્ડા ચલાવનારા સામે તાકીદે પગલા લેવા આવેદનપત્ર આપશે. શ્રી શત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિએ જણાવ્યું છે કે, '૧૫ ડિસેમ્બરના ગિરિરાજ ઉપર ગેરકાયદેસર મંડળી રચી, દાદાગીરીપૂર્વક ભય અને ડરનું વાતાવરણ ઉભું કરીને સીસીટીવી, થાંભલા આદિની તોડફોડ કરી આતંક મચાવવાનું કૃત્ય તોફાની તત્વોએ આચર્યું હતું.  

વારંવાર માહિતગાર કરવા છતાં કોઈ પણ એક્શન લેવાયા નથી

આ ઉપરાંત સરકારને છેલ્લા દોઢ મહિના દરમિયાન અમુક અસામાજીક તત્વો જે જૈન ધર્મ વિષય જાહેરમાં ઝેર ઓકી રહ્યા છે એ વિષયમાં અનેક લોકો દ્વારા વારંવાર માહિતગાર કરવા છતાં કોઈ પણ એક્શન લેવાયા નથી. હાલ શંકાની સોય એ તત્વો પર પણ જવી સ્વાભાવિક છે. ગિરિરાજ ઉપરની અને આજુ બાજુની સરકારની જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો કરનારા તથા શેત્રુંજય ગિરિરાજ ઉપર ગેરકાયદેસર માઈનિંગ કરનારા અસામાજિક તત્ત્વો બેફામ રીતે પોતાની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બેફામ ચાલુ રાખી શકે તે માટે એક ભયનું સામ્રાજ્ય ઉભું કરવા માટે પણ તેઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તે માનવા માટે પુરતા કારણો દેખાઈ આવે છે.'

અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન 

આ ઉપરાંત અમદાવાદના તમામ સંઘોની અને યુવક મંડળોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશાળ જન સંખ્યામાં શ્રી સંઘના ટ્રસ્ટીઓ, યુવાનો અને જૈન આગેવાન શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.  શ્રી રાજનગરના તમામ સંઘો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ મુખ્ય ૧૦ રજૂઆત ઉપર સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં ન આવે તો વિશાળ જનસંખ્યામાં આવતા રવિવાર ૨૫ ડિસેમ્બરના રોજ રેલીનું આયોજન કરવાનું નક્કી થયું છે. ઉલ્લેખનીય છે કે સુરત, મુંબઈ, બેંગલોર, ચેન્નઈ, રાજકોટ, જામનગર વિગેરે ભારતભરના અનેક જૈન સંઘો દ્વારા રાજનગર અમદાવાદના સંઘમાં જે નિર્ણય કરવામાં આવે તે મુજબ આગળ વધવાનું સમર્થન અપાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget