શોધખોળ કરો

Rupee Notes : હવે તો દર્શન પણ દુર્લભ થયા... તો શું આ ચલણી નોટ થઈ શકે છે બંધ?

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી.

Indian Rupee Notes: મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં જાહેર કરવામાં આવેલી નોટબંધી દરમિયાન બજારમાં પૈસાની માંગને પહોંચી વળવા માટે રૂપિયા 2000ની ગુલાબી રંગની નોટ બહાર પાડી હતી. હવે તેને પાછી ખેંચવાની માંગણી ઉભી થઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ માંગ વિપક્ષ નહીં પણ કેંદ્રમાં સત્તાધારી પાર્તીના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે. સુશીલ કુમાર મોદી બિહારમાં નાણાં મંત્રી પણ રહી ચુક્યા છે. 

સુશીલ મોદીએ રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટનો અર્થ હવે કાળું નાણું બની ગયો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી જોઈએ.

ગુલાબી નોટના દર્શન પણ દુર્લભ બન્યા

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી. નોટબંધી બાદ RBI બજારમાં રોકડની અછત પુરી કરવા 2000 રૂપિયાની નોટ લાવી હતી પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બનતી જઈ રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે. તેથી બજારમાં પણ રૂ. 2000ની નોટનું લીગલ ટેન્ડર પુરૂ થઈ ગયું હોવાની અફવા ઉડતી રહે છે. 2000 રૂપિયાની નોટોની જમાખોરી કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજારમાં આવી ચુકી છે.

2018-19 પછી આ નોટ છાપવામાં નથી આવી

હવે સવાલ એ થાય છે કે, આખરે 2000 રૂપિયાની ગુલાબી નોટ ગઈ ક્યાં? આ મામલે ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા તેમને જણાવ્યું હતું કે, 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો

RBIએ પણ સ્વીકાર્યું હતું કે, દેશમાં 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈએ વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2020-21માં કુલ કરંસી સર્ક્લ્યુલેશનમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટીને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20માં રૂ. 2000ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણમાં હતી અને તે કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22માં કુલ ચલણમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget