શોધખોળ કરો

Rupee Notes : હવે તો દર્શન પણ દુર્લભ થયા... તો શું આ ચલણી નોટ થઈ શકે છે બંધ?

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી.

Indian Rupee Notes: મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં જાહેર કરવામાં આવેલી નોટબંધી દરમિયાન બજારમાં પૈસાની માંગને પહોંચી વળવા માટે રૂપિયા 2000ની ગુલાબી રંગની નોટ બહાર પાડી હતી. હવે તેને પાછી ખેંચવાની માંગણી ઉભી થઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ માંગ વિપક્ષ નહીં પણ કેંદ્રમાં સત્તાધારી પાર્તીના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કરી છે. સુશીલ કુમાર મોદી બિહારમાં નાણાં મંત્રી પણ રહી ચુક્યા છે. 

સુશીલ મોદીએ રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટનો અર્થ હવે કાળું નાણું બની ગયો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપીને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ માર્કેટમાંથી પાછી ખેંચી લેવી જોઈએ.

ગુલાબી નોટના દર્શન પણ દુર્લભ બન્યા

જાહેર છે કે, 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016ના રોજ મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી નાખી હતી. નોટબંધી બાદ RBI બજારમાં રોકડની અછત પુરી કરવા 2000 રૂપિયાની નોટ લાવી હતી પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બનતી જઈ રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે. તેથી બજારમાં પણ રૂ. 2000ની નોટનું લીગલ ટેન્ડર પુરૂ થઈ ગયું હોવાની અફવા ઉડતી રહે છે. 2000 રૂપિયાની નોટોની જમાખોરી કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજારમાં આવી ચુકી છે.

2018-19 પછી આ નોટ છાપવામાં નથી આવી

હવે સવાલ એ થાય છે કે, આખરે 2000 રૂપિયાની ગુલાબી નોટ ગઈ ક્યાં? આ મામલે ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા તેમને જણાવ્યું હતું કે, 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો

RBIએ પણ સ્વીકાર્યું હતું કે, દેશમાં 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈએ વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2020-21માં કુલ કરંસી સર્ક્લ્યુલેશનમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટીને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20માં રૂ. 2000ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણમાં હતી અને તે કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22માં કુલ ચલણમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગેસનો બાટલો 25 દિવસ પહેલાં પૂરો થાય તો શું કરવું? જાણો નવા નિયમો
ગેસનો બાટલો 25 દિવસ પહેલાં પૂરો થાય તો શું કરવું? જાણો નવા નિયમો
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા
સરકારે ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો, પ્રાથમિક સેક્ટર્સને ફ્યૂલ સપ્લાઈમાં મળશે પ્રાથમિકતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
Embed widget