શોધખોળ કરો

2000 Rupees Note: અત્યાર સુધી 2000 રૂપિયાની કેટલી નોટ બેન્કમાં પરત આવી ? સરકારે સંસદમાં આપી મોટી જાણકારી

હવે સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે.

2000 Rupee Note:  19 મેના રોજ ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈએ એ પણ માહિતી આપી હતી કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ નાગરિક બેંકોમાં જઈને આ નોટો બદલી શકશે અને ત્યાં સુધી આ નોટો લીગલ ટેન્ડરમાં રહેશે. હવે સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદના ચોમાસુ સત્રમાં માહિતી આપી છે કે 30 જૂન સુધીમાં 2.72 ટ્રિલિયન રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

સરકારે શું આપી જાણકારી

આ સાથે નાણા રાજ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચ્યા બાદ દેશમાં રોકડની કોઈ અછત રહી નથી. તેના બદલે 500 અને અન્ય મૂલ્યની નોટોની પૂરતી સંખ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. નોંધનીય છે કે રિઝર્વ બેંકે પોતાની 'ક્લીન નોટ પોલિસી' હેઠળ 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

શું  2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઇનમાં વધારો કરાશે ?

આ સાથે નાણા મંત્રાલય તરફથી 2000 રૂપિયાની નોટ પરત કરવાની ડેડલાઇનમાં વધારવા મુદ્દે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો જેના પર નાણા રાજ્ય મંત્રીએ લેખિતમાં જવાબ આપતા કહ્યું હતુ કે આ બાબત પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી નથી. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, 2000 રૂપિયાની કુલ 76 ટકા નોટો બેંકોમાં પાછી આવી છે. 19 મેના રોજ દેશમાં 2,000 રૂપિયાની કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી જે 30 જૂન સુધીમાં ઘટીને 84,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ગૃહમાં બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું સરકાર કાળા નાણાને દૂર કરવા માટે ઉચ્ચ મૂલ્યની નોટોને બંધ કરવાની યોજના બનાવી રહી છે. તેના પર પણ મંત્રીએ નકારાત્મક જવાબ આપ્યો. 19 મેના રોજ રિઝર્વ બેંકે અચાનક 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

આરબીઆઈએ કહ્યું કે પાછી મળેલી નોટોમાંથી 87 ટકા લોકો વતી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના 13 ટકા બદલાયા છે. 2000 રૂપિયાની નોટ 10 નવેમ્બર 2016ના રોજ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ પછી 500ની નવી નોટ પણ લાવવામાં આવી.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget