શોધખોળ કરો

7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો

કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે,

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે, જે તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારુ બોનસ સાબિત થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા ડીએ મળે છે. મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થઈ શકે છે. પરંતુ, તેનો અમલ જૂલાઈ 2024થી જ થશે. આ વચ્ચેના સમયગાળાનું એરિયર્સ આપવામાં આવશે. આ વધારા બાદ 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે. ડીએમાં આ 3 ટકાના વધારાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. જે કર્મચારીઓનો પગાર 40,000 છે તેમને 1200 રૂપિયાનો વધારાનો પગાર મળશે. DAમાં 3 ટકાનો વધારો થશે. તે મુજબ વાર્ષિક 14,400 રૂપિયાનો પગાર વધારો થવાની શક્યતા છે.

મોંઘવારી ભથ્થું (DA) શું છે?

મોંઘવારી ભથ્થું અથવા ડીએ એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ભથ્થું વધતી મોંઘવારીનો સામનો કરવા માટે આપવામાં આવે છે. ડીએ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરે છે અને તેમની આવકમાં વધારો કરે છે.

ડીએમાં વધારો જૂલાઈ 2024થી લાગુ થશે

ડીએમાં આ વધારો આ વર્ષે જૂલાઈથી લાગુ કરવામાં આવશે. આ સાથે કર્મચારીઓને ડીએનું એરિયર્સ પણ થોડા મહિનામાં આપવામાં આવશે. 7મું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા ડીએ ચૂકવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થવાની સંભાવના છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી.

ડીએ કેવી રીતે ગણવામાં આવે છે?

મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024માં AICPIમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ DAમાં વધારો થયો હતો. જાન્યુઆરી 2024માં આ સ્કોર 138.9 હતો અને જૂન સુધીમાં તે 141.4 પર પહોંચ્યો હતો. હવે DAનો સ્કોર 53.36 ટકા થઈ ગયો છે, જે પહેલા 50.84 ટકા ​​હતો. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં આ વધારાનો સીધો ફાયદો થશે.

PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget