શોધખોળ કરો

7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો

કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે,

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને થોડા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે, જે તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારુ બોનસ સાબિત થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા ડીએ મળે છે. મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થઈ શકે છે. પરંતુ, તેનો અમલ જૂલાઈ 2024થી જ થશે. આ વચ્ચેના સમયગાળાનું એરિયર્સ આપવામાં આવશે. આ વધારા બાદ 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે.

મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કરવા જઈ રહી છે. ડીએમાં આ 3 ટકાના વધારાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. જે કર્મચારીઓનો પગાર 40,000 છે તેમને 1200 રૂપિયાનો વધારાનો પગાર મળશે. DAમાં 3 ટકાનો વધારો થશે. તે મુજબ વાર્ષિક 14,400 રૂપિયાનો પગાર વધારો થવાની શક્યતા છે.

મોંઘવારી ભથ્થું (DA) શું છે?

મોંઘવારી ભથ્થું અથવા ડીએ એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ભથ્થું વધતી મોંઘવારીનો સામનો કરવા માટે આપવામાં આવે છે. ડીએ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરે છે અને તેમની આવકમાં વધારો કરે છે.

ડીએમાં વધારો જૂલાઈ 2024થી લાગુ થશે

ડીએમાં આ વધારો આ વર્ષે જૂલાઈથી લાગુ કરવામાં આવશે. આ સાથે કર્મચારીઓને ડીએનું એરિયર્સ પણ થોડા મહિનામાં આપવામાં આવશે. 7મું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરોને 53 ટકા ડીએ ચૂકવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થવાની સંભાવના છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી.

ડીએ કેવી રીતે ગણવામાં આવે છે?

મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024માં AICPIમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો ત્યારબાદ DAમાં વધારો થયો હતો. જાન્યુઆરી 2024માં આ સ્કોર 138.9 હતો અને જૂન સુધીમાં તે 141.4 પર પહોંચ્યો હતો. હવે DAનો સ્કોર 53.36 ટકા થઈ ગયો છે, જે પહેલા 50.84 ટકા ​​હતો. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં આ વધારાનો સીધો ફાયદો થશે.

PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget