8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! આટલો વધી શકે છે તમારો પગાર
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કારણ કે 8મું પગાર પંચ લાગુ થયા બાદ તેમના પગારમાં મોટો ઉછાળો આવશે.

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કારણ કે 8મું પગાર પંચ લાગુ થયા બાદ તેમના પગારમાં મોટો ઉછાળો આવશે. દરેક પગારપંચમાં માત્ર પગારમાં જ વધારો થતો નથી પરંતુ તેની સીધી અસર ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અને એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સના દરો પર પણ પડે છે. આવી સ્થિતિમાં સરકાર 8મા પગાર પંચમાં HRAના દરોમાં ફેરફાર કરશે કે કેમ તે ચર્ચાનો વિષય છે. ફિટમેન્ટ ફેક્ટર કેટલુ રહેશે તે મહત્વનું છે.
સરકાર ડીએ માળખાની સમીક્ષા કરશે
તમને કહ્યું તેમ, દરેક પગારપંચ સાથે, સરકાર પણ એકવાર HRA દરોમાં સુધારો કરે છે. 6ઠ્ઠા પગારપંચમાં, HRA દરોને 30 ટકા (X શહેર), 20 ટકા (Y શહેર) અને 10 ટકા (Z શહેર) કરવામાં આવ્યા હતા. 7મા પગાર પંચમાં પણ આમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે દરો લગભગ 24,16,8 ટકા હતા. પરંતુ DA 50 ટકા પર પહોંચતા જ HRA ફરી 30, 20, 10 ટકા કરવામાં આવ્યું. આનો અર્થ એ થયો કે એચઆરએના દરો સીધો ડીએ અને મૂળભૂત પગાર સાથે સંબંધિત છે. તેથી, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે પણ સરકાર 8મા પગારપંચમાં HRA દરોની ફરી એકવાર મૂળભૂત પગાર અને DA માળખા અનુસાર સમીક્ષા કરશે.
HRA ની રકમ કેવી રીતે વધશે
અત્યારે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 1.92 કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કર્મચારીના હાલના મૂળ પગારને 1.92 વડે ગુણાકાર કરીને નવો પગાર આધાર નક્કી કરવામાં આવશે. તમને એક ઉદાહરણ આપવા માટે, જો તમારો મૂળ પગાર અત્યારે રૂ. 30,000 છે, તો નવો પગાર રૂ. 30,000 × 1.92 = રૂ. 57,600 થશે. આવી સ્થિતિમાં એચઆરએની ગણતરી પણ નવા બેઝિક પર કરવામાં આવશે. જેના કારણે એચઆરએની રકમ વધશે.
HRA દરો કેટલો વધશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HRA દરમાં ફેરફાર થવાની શક્યતા છે. દર વખતે જ્યારે નવું પગારપંચ લાગુ થાય છે ત્યારે HRA પણ વધે છે. એવી ચર્ચા છે કે સરકાર HRAના દરોમાં ફેરફાર કરી શકે છે. આનાથી કર્મચારીઓના હાથમાં પૈસા તો વધશે જ, પરંતુ 25 ટકા અને 50 ટકા સુધી પહોંચવા પર ડીએમાં સુધારો કરવાની જોગવાઈ પણ હશે.





















