શોધખોળ કરો

ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

Zupadpatti Vidyutikaran Yojana: વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સરકારે પાત્રતાના માપદંડમાં મોટા ફેરફારો કર્યા છે.

Zupadpatti Vidyutikaran Yojana: ગુજરાત સરકારની 'ઝૂંપડા વીજળીકરણ યોજના' રાજ્યના છેવાડાના માનવી અને ગરીબ શ્રમિક વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ઝૂંપડાઓને વીજળીથી રોશન કર્યા છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં 1.52 લાખથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને લાભાર્થીઓની આવક મર્યાદા વધારીને 1.50 લાખ રૂપિયા કરી છે, જેથી કોઈ પણ ગરીબ પરિવાર અંધારામાં રહેવા મજબૂર ન બને. વર્ષ 2025 26 માટે પણ સરકારે આ યોજના માટે ખાસ બજેટ ફાળવ્યું છે.

5 વર્ષમાં દોઢ લાખ ઝૂંપડા રોશન: સરકારની મોટી સિદ્ધિ

રાજ્યના ગરીબ નાગરિકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આંકડાકીય વિગતો જોઈએ તો, છેલ્લા 5 વર્ષમાં સરકારે 8,499 લાખ રૂપિયાના જંગી ખર્ચે કુલ 1,52,466 ઝૂંપડાઓમાં મફત વીજળીકરણ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં (નવેમ્બર 2025 સુધી) કુલ 10,09,736 પરિવારોને અંધકારમાંથી મુક્તિ મળી છે. વર્ષ 2024 25 માં પણ 1,617.03 લાખ રૂપિયાના ખર્ચે 25,939 ઝૂંપડાઓને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા છે. આગામી વર્ષ 2025 26 માટે પણ સરકારે 1,617 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે.

આવક મર્યાદામાં કરાયો ઐતિહાસિક વધારો

વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સરકારે પાત્રતાના માપદંડમાં મોટા ફેરફારો કર્યા છે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 35,000 થી 47,000 રૂપિયાની આવક મર્યાદા હતી. પરંતુ હવે સરકારે આ મર્યાદામાં મોટો વધારો કર્યો છે. વર્ષ 2018 માં કરાયેલા સુધારા મુજબ, હવે ગ્રામ્ય વિસ્તારના ઝૂંપડાવાસીઓ માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારના લોકો માટે 1.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

યોજનાનો ઉદ્દેશ્ય અને સુધારાની સફર

રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વર્ષ 1996 97 થી આ યોજના અમલમાં છે. શરૂઆતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ (GEB) દ્વારા તેનું સંચાલન થતું હતું. વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ ક્ષેત્રમાં સુધારાઓ કરીને 4 અલગ અલગ વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, PGVCL, UGVCL) ની રચના કરી હતી. ત્યારથી આ ચારેય કંપનીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ BPL કાર્ડધારકો ઉપરાંત અન્ય ગરીબ પરિવારોને પણ કોઈ પણ જાતિગત ભેદભાવ વિના લાભ આપવામાં આવે છે.

કેવી રીતે કરશો અરજી? જાણો પ્રક્રિયા

જો તમે અથવા તમારી આસપાસ કોઈ આ યોજના માટે પાત્રતા ધરાવતું હોય, તો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

કોણ અરજી કરી શકે?: નિયત આવક મર્યાદા ધરાવતા BPL અથવા ગરીબ પરિવારો.

ક્યાં અરજી કરવી?: ગ્રામ્ય વિસ્તારના લોકોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અથવા તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો. જ્યારે શહેરી વિસ્તારના લોકોએ નગરપાલિકા કે મ્યુનિસિપાલિટી કચેરીમાં અરજી કરવાની રહેશે.

પ્રક્રિયા: અરજી કર્યા બાદ, તેની ચકાસણી કરીને યાદી સંબંધિત વીજ કંપનીની કચેરીને મોકલવામાં આવે છે. માપદંડો પૂર્ણ થતા હોય તેવા અરજદારોને મફત વીજ કનેક્શન આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget