8th Pay Commission: ક્યારે લાગુ થશે આઠમું પગારપંચ, કેટલો વધશે પગાર? આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે 8મા પગાર પંચના અમલીકરણ સાથે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે, જેના સંદર્ભમાં હવે એક રિપોર્ટ બહાર આવ્યો છે. 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેના હેઠળ પગારમાં કેટલો વધારો થશે? આ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે આ રિપોર્ટ બહાર પાડ્યો છે.
8મા પગાર પંચ હેઠળ પગાર
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે 8મું પગાર પંચ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ કરી શકાય છે. સરકાર હાલમાં આ માટે સંદર્ભની શરતો નક્કી કરી રહી છે અને કમિશનની રચના હજુ બાકી છે. સરકારે હજુ સુધી તેના અધ્યક્ષનો ખુલાસો કર્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
પગાર કેટલો વધી શકે છે?
8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓના મૂળ પગારમાં 30 થી 34 ટકાનો વધારો થઈ શકે છે. નવા પગાર પંચ હેઠળ બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધીને લગભગ 30,000 રૂપિયા થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે 1.8ની આસપાસ રહેવાનો અંદાજ છે, જે વાસ્તવમાં કર્મચારીઓને 13 ટકાનો લાભ આપશે.
ખર્ચ પર કેટલી અસર પડશે?
કોટક ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ, 8મા પગાર પંચની GDP પર 0.6 થી 0.8 ટકા અસર થઈ શકે છે. આનાથી સરકાર પર 2.4 થી 3.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે. પગારમાં વધારાની સાથે ઓટોમોબાઈલ, ગ્રાહક અને અન્ય કન્જપ્શન જેવા ક્ષેત્રોમાં માંગ વધી શકે છે, કારણ કે પગારમાં વધારાથી કર્મચારીઓની ખર્ચ ક્ષમતામાં પણ વધારો થશે.
બચત અને રોકાણ પર પણ અસર
કોટકના મતે, પગારમાં વધારાની સાથે બચત અને રોકાણમાં પણ વધારો થશે. ખાસ કરીને ઇક્વિટી, ડિપોઝિટ અને અન્ય રોકાણોમાં 1 થી 1.5 લાખ કરોડ રૂપિયાનો વધારાનો વધારો થઈ શકે છે. બીજી તરફ પગાર વધારાથી લગભગ 33 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પેન્શનરોને ફાયદો થશે. આમાં પણ ગ્રેડ C ના મોટાભાગના કર્મચારીઓને ફાયદો થશે.





















