શોધખોળ કરો

આ કામ માટે આધાર કાર્ડનો નહીં થઈ શકે ઉપયોગ, શું કહે છે UIDAIનો નિયમ?

ઘણા લોકો એ બાબતે મૂંઝવણમાં છે કે શું તે જન્મ તારીખ કે ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે કામ કરી શકે છે

આધાર હવે લગભગ દરેક આવશ્યક સેવા સાથે જોડાયેલ છે. ઘણા લોકો એ બાબતે મૂંઝવણમાં છે કે શું તે જન્મ તારીખ કે ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે કામ કરી શકે છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ વારંવાર સ્પષ્ટતા કરી છે કે 12-અંકનો આધાર નંબર ફક્ત ઓળખના પુરાવા તરીકે જ વાપરી શકાય છે, નાગરિકતાના પુરાવા તરીકે નહીં. તેમ છતાં, આધારનો ઉપયોગ શું કરી શકાય અને શું ન કરી શકાય તે અંગે અફવાઓ ફેલાઈ રહી છે. આ મૂંઝવણ દૂર કરવા માટે, UIDAI એ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે આધાર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે, પરંતુ તેને રહેઠાણ અથવા નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં.

આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ન કરી શકાય?

સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આદેશમાં જણાવાયું છે કે આધાર નંબરનો ઉપયોગ આધાર ધારકની ઓળખ સ્થાપિત કરવા માટે થઈ શકે છે. તેનો ઉપયોગ ઓન્થેટિકેશન અને ઓફલાઈન વેરિફિકેશન માટે પણ થઈ શકે છે. આદેશમાં જણાવાયું છે કે આધાર નંબર અથવા તેનું પ્રમાણીકરણ આધાર ધારક માટે નાગરિકતા અથવા રહેઠાણનો પુરાવો નથી. તે જન્મ તારીખનો પણ પુરાવો નથી અને "તેથી, આધાર ધારકની જન્મ તારીખ નિશ્ચિતપણે સ્થાપિત કરવા માટે તેનો ઉપયોગ થવો જોઈએ નહીં." સરકારે તમામ પોસ્ટ ઓફિસોને માહિતી અને જરૂરી માર્ગદર્શન માટે નવીનતમ સ્પષ્ટતા દરેકને પહોંચાડવા જણાવ્યું છે. આદેશમાં જણાવાયું છે કે તે પેટા-ક્ષેત્રોમાં સ્થિત તમામ પોસ્ટ ઓફિસોના નોટિસ બોર્ડ પર પણ પ્રદર્શિત કરી શકાય છે.

કઈ સેવાઓ માટે આધાર ફરજિયાત બન્યો છે?

આધાર ઘણી નાણાકીય અને સરકારી સેવાઓનો અભિન્ન ભાગ બની ગયો છે. આજે આધાર નંબર આપ્યા વિના ઘણા લાભો અને વ્યવહારો અશક્ય છે. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા, PAN લિંક કરવા, બેન્ક ખાતા ખોલવા અને નવા મોબાઇલ સિમ કાર્ડ ખરીદવા માટે તે ફરજિયાત છે. ચોક્કસ રોકાણો માટે પણ આધાર જરૂરી છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ અને KYC ચકાસણી જરૂરી હોય તેવા અન્ય રોકાણો માટે. મોટાભાગની સરકારી સબસિડી અને કલ્યાણકારી યોજનાઓ માટે પણ આધાર પ્રમાણીકરણ જરૂરી છે.

કલ્યાણકારી યોજનાઓમાં આધારનો ઉપયોગ

LPG અને કર્મચારી પેન્શન યોજના માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBTL) જેવી યોજનાઓ હેઠળ સરકારી સબસિડી અને લાભો મેળવવા માટે આધાર જરૂરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPS) અને અટલ પેન્શન યોજના (APY) જેવી પેન્શન યોજનાઓ માટે પણ તે ફરજિયાત છે. વધુમાં, શિષ્યવૃત્તિ, શ્રમ કલ્યાણ લાભો અને મોબાઇલ કનેક્શન અથવા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા સહિતની ઘણી અન્ય સેવાઓ મેળવવા માટે આધાર જરૂરી છે.

આધાર વિગતો અપડેટ કરવા માટેના ચાર્જમાં વધારો

દરમિયાન, 1 ઓક્ટોબરથી આધાર વિગતો અપડેટ કરવાનો ખર્ચ વધી ગયો છે. નામ, સરનામું અથવા જન્મ તારીખ જેવા ડેમોગ્રાફિક માટેની ફી 50 થી વધારીને 75 રૂપિયા કરવામાં આવી છે. બાયોમેટ્રિક અપડેટ માટેની ફી 100 થી વધારીને 125 રૂપિયામાં કરવામાં આવી છે. લગભગ પાંચ વર્ષમાં આધાર અપડેટ ફીમાં આ પહેલો સુધારો છે. જો કે, નવજાત શિશુઓ માટે આધાર નોંધણી અને અપડેટ મફત રહેશે. સુધારેલા ચાર્જ ફક્ત આધાર નંબર જાહેર કર્યા પછી કરવામાં આવેલા ફેરફારો પર લાગુ થશે, જેમાં વસ્તી વિષયક અને બાયોમેટ્રિક અપડેટનો સમાવેશ થાય છે. બાળકો માટે, બાયોમેટ્રિક અપડેટ પાંચ વર્ષની ઉંમરે ફરજિયાત છે, પછી ફરીથી 5 થી 7 વર્ષની ઉંમરે, અને પછી ફરીથી 15 થી 17 વર્ષની ઉંમરે અપડેટ કરવું જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Embed widget