શોધખોળ કરો

Aadhaar Deactivation: 1.4 કરોડ લોકોના આધાર થયા બંધ, UIDAIએ કેમ કરી કાર્યવાહી?

Aadhaar Deactivation: UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

Aadhaar Deactivation: તમારા આધાર કાર્ડ અંગે એક મોટા સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશમાં 1.4 કરોડથી વધુ આધાર નંબરો ડીએક્ટિવેટ કરી દીધા છે. જોકે, આ આધાર નંબરો મૃત વ્યક્તિઓના છે. UIDAI દ્વારા આ પગલું ગયા વર્ષે શરૂ કરાયેલ સરકારના ક્લિન અપ ડ્રાઈવનો એક ભાગ છે, જેથી ખાતરી કરી શકાય કે સરકારી યોજનાઓના લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને મૃતકોના નામે ખોટા દાવાઓ અટકાવવામાં આવી શકે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, "કલ્યાણકારી યોજનાઓની વિશ્વસનીયતા જાળવવા અને કોઈપણ સંભવિત દુરુપયોગને રોકવા માટે મૃતકોના આધાર નંબરો ડીએક્ટિવેટ કરવા જરૂરી છે. આ ખાતરી કરે છે કે જાહેર ભંડોળ કપટપૂર્ણ દાવાઓ અથવા ઓળખ છેતરપિંડી પર વેડફાય નહીં."

2 કરોડ આધાર નંબરો ડિએક્ટિવેટ કરવાનું લક્ષ્ય

હાલમાં આધાર 3,300થી વધુ સરકારી યોજનાઓ સાથે જોડાયેલ છે. UIDAI ડિસેમ્બર 2025 સુધીમાં મૃત વ્યક્તિઓના આશરે 20 મિલિયન આધાર નંબરો ડીએક્ટિવેટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

UIDAI અધિકારીઓના મતે, આ અભિયાનની સૌથી મોટી સમસ્યા એ છે કે મૃત્યુ નોંધણી માટે આધાર નંબર ફરજિયાત નથી. આનાથી ડેટામાં નોંધપાત્ર ખામીઓ રહે છે. ઘણા કિસ્સાઓમાં આધાર નંબર મૃત્યુ રેકોર્ડમાં નોંધાયેલ નથી અથવા ખોટી રીતે અથવા અપૂર્ણ રીતે નોંધાયેલ છે. વધુમાં ડેટા વિવિધ નાણાકીય અને બિન-નાણાકીય સંસ્થાઓમાં ફેલાયેલો છે, જેના કારણે ચકાસણી અને સમાધાન અત્યંત મુશ્કેલ બને છે.

મૃતક વ્યક્તિઓના નામે લાભો વહેંચવામાં આવે છે

અગાઉ, એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં મૃતક વ્યક્તિઓના નામે સરકારી લાભો જાહેર કરવામાં આવ્યા હતા. UIDAI આ સમસ્યાને ઉકેલવા માટે સતત આ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

UIDAI એ નાગરિકોને MyAadhaar પોર્ટલ પર મૃત્યુની માહિતી નોંધાવવા અપીલ કરી છે. CEO કુમારે કહ્યું, "લાખો લાભાર્થીઓની સુરક્ષા માટે સચોટ ડેટાબેઝ જાળવવો જરૂરી છે અને ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીને વધુ મજબૂત બનાવશે."                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget