Breaking News Live: રાજ્યમાં 3 માર્ચથી CNG ડિલર્સની અચોક્કસ મુદતની હડતાળ
ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી.
LIVE

Background
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ-સિંહણના થયા મોત
છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી મૃત્યુ થયા હોવાનો સરકારનો સ્વીકાર
- વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા
- વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા
- 2021માં કુલ 32 સિહો મૃત્યુ પામ્યા તે પૈકી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા
- 2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ અકૂદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયા
- 2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહબાળ અકુદરતી રીતે મોતને ભેટ્યા
આગામી ત્રીજી તારીખથી સીએનજી ડીલર્સની અચોક્કસ મુદતની હડતાલ
આગામી ત્રીજી તારીખથી સીએનજી ડીલર્સની અચોક્કસ મુદતની હડતાલ જશે. ત્રીજી માર્ચના સવારના સાત કલાકથી સીએનજીનું વેચાણ ડીલર્સ કરશે બંધ. છેલ્લા 55 મહિનાથી સીએનજીના વેચાણનું માર્જિન ન વધતા ડીલર્સે નિર્ણય લીધો છે. સરકારમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ નિવેડો ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું.
રાજ્યમાંથી શિયાળાએ લીધી વિધિવત વિદાય, જાણો ઉનાળાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ઉનાળાની શરૂઆત થઈ હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે. આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે.
આસામના મુખ્ય પ્રધાન હિમાતા બિસ્વા સરમાએ 14 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્ય પ્રધાનોને ગુવાહાટીમાં આમંત્રણ આપ્યું હતું.
આસામના મુખ્ય પ્રધાન હિમાતા બિસ્વા સરમાએ દેશના તમામ મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો અને લેફ્ટનન્ટ રાજ્યપાલોને ગુવાહાટી આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદી 14 એપ્રિલના રોજ ગુવાહાટીમાં પણ હાજર રહેશે. આ દિવસે, આસામના 11,000 નર્તકો બિહુ પ્રદર્શન સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે.
Delhi Excise Policy: ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં મનીષ સિસોદિયાની અરજી, ચીફ જસ્ટિસે કહ્યુ- 'હાઇકોર્ટમાં જાવ'
Delhi Liquor Scam Case: સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય પછી સુનાવણી કરવાની વાત કરી હતી.
બીજી તરફ સીબીઆઈએ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ સિસોદિયા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. ધરપકડ બાદ સિસોદિયાની આ પહેલીવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ફરી એકવાર નવેસરથી તપાસ શરૂ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
