શોધખોળ કરો
Advertisement
Budget 2021: સોનું-ચાંદી ખરીદનારા લોકોને થશે ફાયદો, બજેટમાં થઈ આ જાહેરાત
Union Budget 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સાથે જ નાણામંત્રીએ ઘણી જાહેરાત કરી છે.
Union Budget 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સાથે જ નાણામંત્રીએ ઘણી જાહેરાત કરી છે. આ વખતના બજેટમાં સોનું-ચાંદી ખરીદનારા લોકો માટે ખુશીના સમાચાર છે. સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળશે.
સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. બજેટમાં કરવામાં આવેલા પ્રસ્તાવથી ઘરમાં ઉપયોગમાં લેવાતા રેફ્રિજરેટર, એલઈડી લાઈટ અને મોબાઈલ ફોન જેવો સામાન મોંઘા થશે.
સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. તાંબા પર આયાત ડ્યૂટીમાં 2.5 ટકા ઘટાડો થયો છે. પસંદ કરેલા ચામડાને કસ્ટમ ડ્યૂટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કારણે ચામડાની બનાવટ પણ સસ્તી થશે.
મોબાઈલ, ચાર્જર્સ, હેડફોન વધુ મોંઘાં થશે, કારણ કે સરકારે વિદેશથી આવતા મોબાઇલ અને સંબંધિત ઉપકરણો પરની આયાત ડ્યૂટીમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. છેલ્લાં 4 વર્ષમાં સરકારે આ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો કર્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement