શોધખોળ કરો

Aadhaar card: નવો મોબાઇલ નંબર આધાર કાર્ડમાં કઈ રીતે અપડેટ કરવો? જાણો સરળ પ્રોસેસ 

બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.

આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.  આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે.  UIDAIએ આધાર યૂઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સુવિધા આપી છે. 

ભારતીય નાગરિકોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા 12 અંકનો યુનિક નંબર આપવામાં આવે છે. તમારી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી આધાર કાર્ડમાં નોંધાયેલી હોય છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે, પરંતુ તેમાં આપેલો તમારો મોબાઈલ નંબર કોઈ કારણસર બંધ થઈ ગયો છે અથવા તમે તમારો નંબર બદલવા માંગો છો.  તો એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે નંબર કઈ રીતે બદલવો. આધાર કાર્ડમાં આપેલ નંબરને થોડા સ્ટેપમાં સરળતાથી કેવી રીતે બદલવો તે જાણો.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો ? 

સ્ટેપ-1 તમારો મોબાઈલ નંબર બદલવા માટે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો.

સ્ટેપ- 2 આધાર સેવા કેન્દ્ર પર જઇને મોબાઈલ અપડેટ કરાવવા માટે તમારે કરેક્શન ફોર્મ લેવુ પડશે અને તે ફોર્મમાં તમારી બધી જરૂરી માહિતી ભરવી પડશે અને તમારો મોબાઈલ નંબર ભરીને ફોર્મ પરત સબમિટ કરવું પડશે. ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપો અને ફરી એકવાર તમારો મોબાઈલ નંબર ચેક કરો.

સ્ટેપ-3 આ ફોર્મ આધાર એક્ઝિક્યુટિવને સબમિટ કરો.

સ્ટેપ-4 તમારા બાયોમેટ્રિક્સ આપીને તમારી ઓળખ ચકાસો.

સ્ટેપ-5 મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પૈસા ભરીને એકનોલેજમેન્ટ સ્લિપ લો

આ પ્રક્રિયા પછી તમારો મોબાઈલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ થઈ જશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલવા માંગો છો અને તમારી પાસે તમારા આધાર કાર્ડ પર આપેલ નંબર છે તેમ છતાં તમે તમારો નંબર બદલવા માંગો છો તો પણ તમે તેને ઓનલાઈન પણ કરી શકો છો.

તમારો મોબાઈલ નંબર ઓનલાઈન કેવી રીતે બદલવો ?

સ્ટેપ- 1 ભારતીય પોસ્ટલ સર્વિસની વેબસાઇટ પર જાવ અને તમારી બધી જરૂરી માહિતી દાખલ કરો.

સ્ટેપ- 2 PPB આધાર સર્વિસ પર ક્લિક કરો

સ્ટેપ-3 તમે જે પણ ફેરફારો કરવા માંગો છો તેના પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો. તમારો નવો મોબાઈલ નંબર પણ દાખલ કરો.

સ્ટેપ 4 તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે

સ્ટેપ- 5  OTP દાખલ કરો

સ્ટેપ-6 તમારી સર્વિસ રિક્વેસ્ટને કન્ફર્મ કરો. ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે

સ્ટેપ- 7 તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સ્ટાફ તમારા આધારની ચકાસણી કરવા માટે તમારા ઘરે આવશે અને તમારું બાયોમેટ્રિક્સ ચેક કર્યા પછી તમારી પાસેથી 50 રૂપિયા વસૂલશે.

આ સંપૂર્ણ પ્રક્રિયા પછી તમારો મોબાઇલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Embed widget