![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000 ની લોન મળી રહી છે? જાણો વાસ્તવિકતા
કેન્દ્ર સરકારની યોજના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000ની લોન મળી રહી છે.
![શું દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000 ની લોન મળી રહી છે? જાણો વાસ્તવિકતા Fact-Check: Is everyone getting a loan of ₹ 3,00,000 on Aadhaar card under the Prime Minister's loan scheme? know the reality શું દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000 ની લોન મળી રહી છે? જાણો વાસ્તવિકતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/041797a87d9cc291d0e16a65f741cce11686890639079685_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PIB Fact Check: કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અંગે સોશિયલ મીડિયા પર વારંવાર દાવાઓ કરવામાં આવે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન આપી રહી છે.
જ્યારે આ પોસ્ટના દાવાની કેન્દ્ર સરકારની ઉપલબ્ધ યોજનાઓ સાથે સરખામણી કરવામાં આવી તો સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. પીઆઈબીએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને લઈને એક પોસ્ટ પણ પોસ્ટ કરી હતી, જેના પછી આ કથિત સ્કીમનું સત્ય સામે આવ્યું હતું.
કેન્દ્ર સરકારની યોજના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000ની લોન મળી રહી છે. પરંતુ તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું કે પીએમઓ દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
क्या प्रधानमंत्री लोन योजना के तहत हर किसी को आधार कार्ड पर ₹3,00,000 का लोन मिल रहा है❓#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 17, 2023
▪️ नहीं ‼️
▪️ यह दावा फर्जी है।
▪️ भारत सरकार द्वारा ऐसी कोई योजना नही चलाई जा रही है।
▪️ तथ्यों की सही जाँच किए बिना अपनी आधार संबंधित जानकारी किसी के साथ साझा ना करें। pic.twitter.com/I6KpLBPGVC
PIBએ કહ્યું, "આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી." આ સિવાય પીઆઈબીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમની આધાર સંબંધિત માહિતી કોઈની સાથે તથ્યોની યોગ્ય તપાસ કર્યા વિના શેર ન કરે.
આવી સ્થિતિમાં વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)