![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
GST LAWS: કરદાતાઓને મળશે મોટી રાહત! કેન્દ્ર સરકાર GSTના નિયમોમાં કરી શકે છે ફેરફાર
કેન્દ્ર સરકાર હાલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો વ્યાપ વધારવા માટે કામ કરી રહી છે
![GST LAWS: કરદાતાઓને મળશે મોટી રાહત! કેન્દ્ર સરકાર GSTના નિયમોમાં કરી શકે છે ફેરફાર Govt Planning To Decriminalise Certain Offences Under GST GST LAWS: કરદાતાઓને મળશે મોટી રાહત! કેન્દ્ર સરકાર GSTના નિયમોમાં કરી શકે છે ફેરફાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/13/55cbd5acb9085c90366232132ac740c51660384594550290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amendment In GST laws: કેન્દ્ર સરકાર હાલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો વ્યાપ વધારવા માટે કામ કરી રહી છે. આ અંતર્ગત કેટલાક કેસોને ગુનાની કેટેગરીમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત કાર્યવાહી માટે સમય મર્યાદા વધારવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કરારથી સમાપ્ત થતા અપરાધો માટે દર ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
હાલમાં જીએસટી કરચોરી અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના દુરુપયોગ માટે કાર્યવાહી કરવાનો નિયમ છે. આ ઉપરાંત જો પાંચ કરોડ રૂપિયાથી વધુ હોય તો ભૂલ કરનાર એકમ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
નાણા મંત્રાલયના સચિવે શું કહ્યું?
નાણા મંત્રાલયના અધિક સચિવ વિવેક અગ્રવાલે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ)ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “અમે કરદાતાઓ માટે કાર્યવાહીને વધુ સરળ અને મૈત્રીપૂર્ણ બનાવવા માટે GST કાયદા હેઠળ જોગવાઈઓ કરવા પર કામ કરી રહ્યા છીએ. સેન્ટ્રલ GST (CGST) એક્ટ હેઠળ કલમ 132 છે, જે હેઠળ GSTની ચોરી કરવી અને તેને ગેરકાયદેસર રીતે મેળવવી એ અપરાધની શ્રેણીમાં આવે છે. અમે કાર્યવાહીની મર્યાદા વધારવા પર વિચાર કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે GST હેઠળ સમાધાનથી ખત્મ થતા ગુનાઓ માટેના ચાર્જીસમાં પણ ઘટાડો થશે. આ સાથે કરદાતાઓને કાયદાકીય ઝંઝટમાંથી છૂટકારો મળશે. તે સેટલમેન્ટ દ્વારા તેના ગુનાઓનો ઉકેલ લાવી શકશે. જીએસટી કાયદા હેઠળ કરારથી ઉકેલ થનારા ગુનાઓ માટે ટેક્સની રકમ 50 ટકા છે. જેમાં ન્યૂનતમ રાશિ 10 હજાર રૂપિયા છે. જ્યારે મહત્તમ ટેક્સની રકમ 150 ટકા અથવા 30 હજાર રૂપિયા છે જે ઘણી વધારે છે.
નિયમો પ્રતિબંધિત છે
અગ્રવાલે કહ્યું, જીએસટીમા સેલમેન્ટથી ઉકેલનારા ગુનાઓ માટે જોગવાઈ પ્રતિબંધિત છે. આ હેઠળ 50 ટકાથી 150 ટકા સુધીની ફી ચૂકવવાની જરૂર પડે છે, જે ચૂકવવી અશક્ય છે. તેથી જ GST હેઠળ આ રીતે મામલાનું નિરાકરણ રદબાતલ છે. તેથી જ તેના પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી તેને ઓછી ડ્યુટી ચૂકવવી પડે અને તે કરદાતાઓ માટે પ્રથમ અને શ્રેષ્ઠ વિકલ્પ બને.
મહેસૂલ વિભાગના અધિકારીએ એમ પણ કહ્યું છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને વસ્તુઓમાં ટેક્સ વસૂલાતમાં ભારે વધારો થયો છે. આનાથી કરદાતાઓ માટે ઘણા અંશે સુધારાનો માર્ગ મોકળો થયો છે. GST કાયદામાં સૂચિત ફેરફારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં મૂકવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)