શોધખોળ કરો

GST On Hospital Room: હોસ્પિટલની આ સુવિધા પર નહીં લાગે કોઈ GST, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કરી સ્પષ્ટતા

હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને અન્ય હિતધારકો દ્વારા સરકાર પાસે આ નિર્ણય પાછો ખેંચવાની સતત માંગ કરવામાં આવી રહી છે.

Nirmala Sitharaman on GST Rate Hike: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે હોસ્પિટલના બેડ પર GST લાદવાના નિર્ણય અંગે રાજ્યસભામાં સ્પષ્ટતા આપી છે. નાણામંત્રીએ કહ્યું કે હોસ્પિટલના બેડ કે ICU પર કોઈ ટેક્સ લાદવામાં આવ્યો નથી. તેના બદલે, ફક્ત આવા હોસ્પિટલ રૂમ કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિદિન છે, તેના પર જ GST વસૂલવામાં આવ્યો છે. નાણામંત્રીએ રાજ્યસભામાં મોંઘવારી પરની ચર્ચાનો જવાબ આપતાં આ વાત કહી છે.

હોસ્પિટલોમાં સારવાર હવે મોંઘી થઈ ગઈ છે. હકીકતમાં, GST કાઉન્સિલની 28 થી 29 જૂન સુધીની 47મી બેઠકમાં, નોન-ICU રૂમ પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે. જે 18 જુલાઈ, 2022થી અમલમાં આવી છે. જો કે GST કાઉન્સિલના આ નિર્ણયની પણ આકરી ટીકા થઈ રહી છે. જે બાદ નાણામંત્રીએ સ્પષ્ટતા રજૂ કરી છે.

સારવાર મોંઘી થશે

હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને અન્ય હિતધારકો દ્વારા સરકાર પાસે આ નિર્ણય પાછો ખેંચવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલોના બેડ પર GST લાદવાના નિર્ણયને કારણે લોકોને સારવાર લેવી મોંઘી થઈ જશે. આ સાથે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની સામે કમ્પ્લાયન્સ સંબંધિત મુદ્દાઓ ઊભા થશે કારણ કે અત્યાર સુધી હેલ્થકેર ઉદ્યોગને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

GST ની અસર

ધારો કે હોસ્પિટલના બેડનું એક દિવસનું ભાડું 5,000 રૂપિયા છે, તો 250 રૂપિયા GST તરીકે ચૂકવવા પડશે. જો દર્દીને બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો રૂમનું ભાડું 10,000 રૂપિયા અને GST સાથે 10,500 રૂપિયા હશે. દર્દીને જેટલો લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડશે, તેટલી મોંઘી સારવાર થશે.

આ પણ વાંચોઃ

Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget