શોધખોળ કરો

Income Tax Refund Status: જો તમને હજુ સુધી નથી મળ્યુ ITR રિફંડ, તેની પાછળ આ મોટું કારણ તો નથી ને?

Income Tax Refund Status:ઘણા કરદાતાઓ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યા પછી મળેલી રિફંડની રકમથી વેકેશન પ્લાનિંગથી લઈને રોકાણ સુધીની યોજના બનાવે છે

Income Tax Refund Status: ઘણા કરદાતાઓ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યા પછી મળેલી રિફંડની રકમથી વેકેશન પ્લાનિંગથી લઈને રોકાણ સુધીની યોજના બનાવે છે. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોસર તેઓ રિફંડ મેળવી શકતા નથી. ITR રિફંડ ન મળવાના ઘણા કારણો હોઈ શકે છે. નાણાકીય વર્ષ 2022-23માં પણ ઘણા કરદાતાઓને ITR ફાઇલ કરવા છતાં રિફંડ મળ્યું ન હોત. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સૌપ્રથમ, ટેક્સ રિફંડ તરત ન મળવાનું એક સામાન્ય કારણ આવકવેરા રિટર્ન (ITR) ફોર્મમાં ખોટી અથવા અધુરી જાણકારી છે.

બેંકિંગ વિગતો, રહેણાંક સરનામું અથવા ઇમેઇલ ID માં કોઈપણ વિસંગતતા તમને ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ થઇ શકે છે. તેથી, તમારું ITR ફાઇલ કરતી વખતે આપેલી માહિતીની ચોકસાઈની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

રિટર્ન વેરિફિકેશનમાં ભૂલ

ITR પ્રક્રિયામાં વિલંબ કરદાતાઓ દ્વારા આપવામાં આવેલી ખોટી વિગતોને કારણે હોઈ શકે છે. આ સિવાય ઘણી વખત કરદાતાઓ અજાણતા પોર્ટલ પર અપલોડ કરાયેલા રિટર્નની ચકાસણી કરવામાં નિષ્ફળ જાય છે. આથી જે રિટર્ન માન્ય નથી તેમાં રિફંડ માટે પ્રક્રિયા કરવામાં આવતી નથી. એટલા માટે કરદાતાઓએ તેને ફરીથી તપાસવું જોઈએ.

વધારાના દસ્તાવેજોની જરૂર

કે એવું પણ બની શકે છે કે ટેક્સ ઓફિસરને રિટર્નમાં કરદાતાઓના દાવાને સમર્થન આપવા માટે કેટલાક વધારાના દસ્તાવેજોની જરૂર પડી શકે છે. આવા કિસ્સાઓમાં ટેક્સ અધિકારી કરદાતાઓને દસ્તાવેજો પ્રદાન કરવા વિનંતી કરતી નોટિસ મોકલશે. એકવાર અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થઈ જાય રિફંડની પ્રક્રિયા કરવામાં આવશે.

120 દિવસનો સમય ઉપલબ્ધ છે

ટેક્સ રિફંડમાં વિલંબનું બીજું મુખ્ય કારણ ITR ની ચકાસણી ન કરી હોય તેવું બની શકે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, કરદાતાઓએ કાગળની કાર્યવાહી પછી ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) અથવા આધાર-આધારિત વન-ટાઇમ પાસવર્ડ (OTP) નો ઉપયોગ કરીને રિટર્નની ચકાસણી કરવી પડશે. જો તે ITR ફાઇલ કર્યાના 120 દિવસની અંદર વેરિફાઇ કરવામાં આવતુ નથી તો તે અમાન્ય માનવામાં આવે છે. આના કારણે ટેક્સ રિફંડ કરવામાં આવતું નથી.

રિફંડ જાહેર કરવાનો સમય ઘટાડ્યો

ડીવીએસ એડવાઈઝર્સના સ્થાપક અને સીઈઓ દિવાકર વિજયસારથી કહે છે, “વર્ષોથી રિફંડ પ્રક્રિયામાં લાગતો સમય ઓછો થયો છે. નવા ઉપલબ્ધ ડેટા મુજબ, નાણાકીય વર્ષ 22-23 દરમિયાન આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાના 60 દિવસની અંદર જાહેર કરવામાં આવ્યા છે. બાકીના કેસોમાં સમય મર્યાદા તથ્યોના આધારે બદલાઈ શકે છે. જો કે, વિજયસારથીનું કહેવું છે કે કરદાતાઓ માટે એ જાણવું અગત્યનું છે કે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ રિટર્ન ભરવાનું કામ પૂર્ણ થાય છે. આ પછી જ રિફંડની પ્રક્રિયા શરૂ થાય છે. અન્ય કિસ્સાઓમાં રિફંડ પ્રોસેસિંગમાં પણ વિલંબ થઈ શકે છે જેમ કે રિટર્નમાં ક્લેમ કરાયેલ TDS ક્રેડિટ અને ફોર્મ 26AS વચ્ચેનો તફાવત, AIS અને રિટર્ન વચ્ચેના ડેટામાં તફાવત વગેરે હોઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget