શોધખોળ કરો

Defence Exports: ભારતના હથિયારોની દુનિયામાં ધૂમ, બ્રહ્મોસ મિસાઇલથી લઇ પિનાકા રૉકેટ સુધી થઇ રહ્યાં છે એક્સપોર્ટ

India Defence Exports: ભારતે હથિયારોની નિકાસમાં ઝડપથી પ્રગતિ કરી છે. પહેલા ભારત સૌથી વધુ હથિયારોની આયાત કરતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે

India Defence Exports: ભારતે હથિયારોની નિકાસમાં ઝડપથી પ્રગતિ કરી છે. પહેલા ભારત સૌથી વધુ હથિયારોની આયાત કરતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આર્થિક સર્વે 2024માં બહાર આવ્યું છે કે ભારતે 85 દેશોને બ્રહ્મોસ મિસાઈલથી લઈને પિનાકા રૉકેટ અને આર્ટિલરી સુધીની દરેક વસ્તુ વેચી છે. શસ્ત્રો ખરીદનારાઓમાં આર્મેનિયા અને ફિલિપાઇન્સ, ઇટાલી, માલદીવ, રશિયા, શ્રીલંકા, યુએઇ, સાઉદી અરેબિયા, પોલેન્ડ, ઇજિપ્ત, ઇઝરાયેલ અને સ્પેન, ચિલીનો સમાવેશ થાય છે. તે આ દેશોમાં તોપના ગોળા પણ મોકલી રહ્યું છે. 

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2017માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 74,054 કરોડ રૂપિયાનું હતું, જે 2023માં વધીને 1,08,684 કરોડ રૂપિયા થઈ ગયું છે. 2015 અને 2019 ની વચ્ચે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર ખરીદનાર હતો, પરંતુ હવે તે ટોચના 25 હથિયારોની નિકાસ કરનારા દેશોમાં સામેલ થઈ ગયો છે.

સરકારની આ યોજનાઓનો મળી રહ્યો છે ફાયદો 
હકીકતમાં, ભારત સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમાં PLI સહિત ઘણા પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સરકારે ઘણા હથિયારોની નિકાસને પણ મંજૂરી આપી હતી. જો આંકડાઓનું માનીએ તો હાલમાં 100થી વધુ કંપનીઓ શસ્ત્રો અને સાધનોની નિકાસ કરી રહી છે. તેમાં ડોર્નિયર 228 એરક્રાફ્ટ, તોપો, બ્રહ્મોસ મિસાઇલ, આકાશ મિસાઇલ, પિનાકા રોકેટ સિસ્ટમ, બોડી આર્મર, હેલ્મેટ, દારૂગોળો, રડાર, તોપના ગોળા અને અન્ય ઘણા પ્રકારના સાધનોનો સમાવેશ થાય છે. HAL કંપની વધુમાં વધુ પ્લેન સપ્લાય કરી રહી છે, જેનો ફાયદો પણ મળી રહ્યો છે.

ચીનને પણ આપ્યો સંદેશ 
વળી, ભારતમાં નિર્મિત ફાઇટર જેટ તેજસને વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવનારી છે, જેમાં ઘણા દેશોએ રસ દાખવ્યો છે. આ સિવાય ભારતીય કંપની HALએ પણ ઘણા હેલિકોપ્ટરની નિકાસ કરી છે. ભારત આર્મેનિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોને હથિયાર આપી રહ્યું છે. ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપીને ભારતે ચીનને પણ સંદેશ આપ્યો છે.

                                                                                                                                                                                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget