શોધખોળ કરો

મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં રોકાણકારોને મોદી સરકારે કઈ મોટી રાહત આપી? જાણો વિગત

શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગતો સરચાર્જ સરકારે ખતમ કરી નાખ્યો છે. સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે

નવી દિલ્હી: ઘરેલૂ અને વિદેશ રોકાણકારોને મોદી સરકારે મોટી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે. ટેક્સ નિષ્ણાંતોનું કહેવું હતું કે, સરચાર્જ લાગ્યા બાદ વિદેશ રોકાણકારો ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા હતાં. હવે સરચાર્જ ખતમ થતાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફરશે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર લાગતો સરચાર્જ સરકારે ખતમ કરી નાખ્યો છે. આ નિર્ણય મોટી રાહતવાળો હોઈ શકે છે કારણ કે એફપીઆઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે થયેલી બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો સરચાર્જ પરત લેવામાં નહીં આવે તો રોકાણ કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં રોકાણકારોને મોદી સરકારે કઈ મોટી રાહત આપી? જાણો વિગત નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, ઘરેલૂ રોકાણકારો પર પણ LTCG અને STCG પર લગાવવામાં આવેલા સરચાર્જમાં રાહત આપવામાં આવી છે. એફપીઆઈ અને ઘરેલૂ રોકાણકારો પર સરચાર્જને ખતમ કરીને શેર બજારમાં ટ્રેડિંગ કરવા પર બજેટ પહેલાંની સ્થિત જાળવી રાખવામાં આવશે. નોંધનીય છે કે બજેટમાં સરકારે અમીરો પર સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો હતો. મહત્વની વાત એ છે કે, સરચાર્જ હટાવવાની જાહેરાત બાદ શેર માર્કેટમાં મોટી તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે. બજેટમાં સરકારે અમીરો પર સરચાર્જ 15 ટકાથી વધારીને 25 ટકા કરી નાખ્યો હતો. આ સરચાર્જ રૂપિયા બે કરોડથી પાંચ કરોડની આવક ધરાવતા લોકો પર નાખવામાં આવ્યો હતો. જ્યારે પાંચ કરોડથી વધારે આવક ધરાવતા લોકો પર સરચાર્જ 15 ટકાથી વધારીને 37 ટકા કરવામાં આવ્યો હતો. સરચાર્જના દાયરામાં આવ્યા બાદ FPIએ ભારતીય શેર બજારમાંથી મોટા પ્રમાણમાં પૈસા પરત લેવાની શરૂઆત કરી હતી. આ જ કારણે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. પાંચમી જુલાઈના રોજ બજેટ રજૂ થયા બાદ 22 ઓગસ્ટ સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાંથી 27,525 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget