PIB Fact Check: શું કિસાન ક્રેડિટ કાર્ડ પરનું વ્યાજ માફ કરવામાં આવશે? જાણો વાયરલ મેસેજનું સત્ય
છેલ્લા કેટલાક દિવસોથી એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ દર નહીં હોય.

PIB Fact Check of Kisan Credit Card Viral Message: દેશમાં ડિજિટાઈઝેશનની સાથે સાથે સાયબર ક્રાઈમના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર આવી છેતરપિંડીથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. PIB ફેક્ટ ચેક વાયરલ થઈ રહેલા મેસેજની હકીકત તપાસે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે
છેલ્લા કેટલાક દિવસોથી એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ દર નહીં હોય. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયા સુધી લીધું છે તેમને કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. હાલમાં ખેડૂતોને 4 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે.
પીઆઈબીએ ટ્વીટ કરીને વાયરલ મેસેજની સત્યતા જણાવી
PIBએ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. પીઆઈબીએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ દાવો સંપૂર્ણપણે ફેક (ફેક ન્યૂઝ) છે. કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે PIBએ એમ પણ જણાવ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને 7 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
एक समाचार पत्र की फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 1 अप्रैल 2022 से किसान क्रेडिट कार्ड पर कोई ब्याज नहीं लगेगा#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 14, 2022
▶️केंद्र सरकार द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है
▶️किसान क्रेडिट कार्ड के तहत दिए जाने वाले ₹3 लाख तक के लोन पर 7% ब्याज दर लागू होता है pic.twitter.com/U2RK3YhlcB
સરકારે એવો કોઈ નિર્ણય લીધો નથી
પીઆઈબીએ જણાવ્યું છે કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. ન્યૂઝ પેપરમાં છપાયેલા આર્ટિકલના આ સમાચાર સંપૂર્ણપણે નકલી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોની મદદ માટે સરકાર સસ્તા દરે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરે છે. ખેડૂતો તેનો ઉપયોગ તેમના ખેતીના કામ માટે કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
