![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PIB Fact Check: 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકાર 28 દિવસનું રૂ.239નું રિચાર્જ ફ્રી આપી રહી છે ? જાણો હકીકત
PIB Fact Check: પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું, આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી ફ્રી રિચાર્જ યોજના ચલાવવામાં આવતી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે.
![PIB Fact Check: 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકાર 28 દિવસનું રૂ.239નું રિચાર્જ ફ્રી આપી રહી છે ? જાણો હકીકત PIB Fact Check: Keeping in mind the 2024 Lok Sabha elections, the Modi government is giving free recharge of Rs.239 for 28 days PIB Fact Check: 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકાર 28 દિવસનું રૂ.239નું રિચાર્જ ફ્રી આપી રહી છે ? જાણો હકીકત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/fb7f9562d51d22bccdc86786a38a4c62168723999398876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલ આવી જ એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીયોને રૂપિયા 239નું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપવામાં આવતું દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાની સત્યતા ચકાસવા પીઆઈબી ફેક્ટ ચેકે ટ્ટવિટ કર્યુ છે.
શું છે વાયરલ ટ્વિટ
વાયરલ ટ્વિટમાં એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને મત આપે અને ફરીથી ભાજપની સરકાર બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીય યુઝર્સને રૂપિયા 239નું 28 દિવસવાળું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. મેં પણ 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે. તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છે.
પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું, આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી ફ્રી રિચાર્જ યોજના ચલાવવામાં આવતી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે. આવી લિંક પર ક્લિક કરવાથી બચો.
दावा : प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा सभी भारतीय यूजर्स को ₹239 का 28 दिन वाला रिचार्ज फ्री में दिया जा रहा है #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 19, 2023
◼️ यह दावा फर्जी है
◼️ भारत सरकार द्वारा यह फ्री रिचार्ज योजना नहीं चलाई जा रही
◼️यह धोखाधड़ी का एक प्रयास है pic.twitter.com/mE7V5aCOuS
નકલી સંદેશાઓ ટાળો
પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા વારંવાર લોકોને ફેક મેસેજથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત અન્ય લોકો સાથે કોઈપણ પ્રકારની અંગત માહિતી શેર ન કરવાની સલાહ પણ આપે છે, કારણ કે તમે આનાથી મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. આ સાથે જ અન્ય કોઈની સાથે ફેક મેસેજ શેર ન કરવા માટે કહે છે.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)