શોધખોળ કરો

PMGKAY: શું PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ડિસેમ્બર 2022 પછી લંબાશે? જાણો વિગતો

ગરીબોને કોરોનાની અસરથી બચાવવાના પગલા તરીકે એપ્રિલ 2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે.

PM Garib Kalyan Ann Yojana: સરકાર ટૂંક સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ વધારવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર નવા વર્ષમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ચાલુ રાખવાના વિચારની વિરુદ્ધ નથી.

એવું માનવામાં આવે છે કે સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. યોજના હેઠળ, લાભાર્થીઓને દર મહિને 5 કિલો મફત અનાજ મળે છે. આ તે જથ્થા ઉપરાંત છે જે તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ અત્યંત સબસિડીવાળી કિંમતે આપવામાં આવે છે.

ગરીબોને કોરોનાની અસરથી બચાવવાના પગલા તરીકે એપ્રિલ 2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે.

મફત અનાજ યોજના વિસ્તારવામાં આવી શકે છે

કેન્દ્રએ PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાના સાત તબક્કાઓ માટે કુલ 3.9 લાખ કરોડ રૂપિયાની સબસિડીનો અંદાજ મૂક્યો છે. TOI ના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે માર્ચ 2023 સુધી યોજનાના વિસ્તરણથી સબસિડી બિલમાં વધુ 40,000 કરોડનો ઉમેરો થશે. જ્યારે નાણાકીય બોજ એક પાસું છે. સરકાર માટે વાસ્તવિક પડકાર એ જરૂરીયાતોને પહોંચી વળવા માટે ઘઉંનો વર્તમાન સ્ટોક છે.

સરકાર કહે છે કે NFSA, અન્ય કલ્યાણ યોજનાઓ તેમજ PMGKAY માટેની વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા ઘઉં છે.

યોજના ક્યાં સુધી લંબાશે?

કેન્દ્ર સરકારના અનુમાન મુજબ, 138 લાખ ટનના બફર ધોરણની સામે, 1 જાન્યુઆરી, 2023 સુધી લગભગ 159 લાખ ટન ઘઉં કેન્દ્રીય પૂલમાં ઉપલબ્ધ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો PMGKAY માર્ચ સુધી લંબાવવામાં આવે છે, તો જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે લગભગ 68 લાખ ટન ઘઉંનું બીજું લિફ્ટિંગ થશે. આ સાથે સરકાર પાસે 1 એપ્રિલ સુધી લગભગ 91 લાખ ટન ઘઉંનો કુલ સ્ટોક હશે.

સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ

મીડિયા અહેવાલો અનુસાર, એક અધિકારીએ કહ્યું છે કે સરકારી સ્ટોકમાંથી ખુલ્લા બજારમાં ઘઉંના વેચાણને કોઈ અવકાશ રહેશે નહીં. જરૂર પડશે તો પગલાં ભરશે. સૂત્રોએ જણાવ્યું કે જોકે આ મુદ્દે બેઠકો થઈ છે. અધિકારીઓ PM ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) પર સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હાલમાં, FCI ઘઉંનો સ્ટોક ખુલ્લા બજારમાં આપશે કે નહીં તે સરકાર પર નિર્ભર છે.

યોજના ક્યારે શરૂ થઈ

કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2020માં કોરોના મહામારી દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) શરૂ કરવામાં આવી હતી. કોરોનાની પ્રથમ લહેરના અંત સાથે, આ યોજના નવેમ્બર 2020 માં બંધ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાની બીજા લહેરને કારણે, આ યોજના મે 2021 માં ફરીથી શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી ગરીબોને ઘણો ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget