શોધખોળ કરો

1 એપ્રિલથી બદલાઈ જશે દેશની આ ત્રણ સરકારી બેંકોના નામ અને લોગો, જાણો તમારા ખાતા અને રૂપિયાનું શું થશે?

ગ્રાહકોને હવે નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. ગ્રાહકોને નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ બેંકોના મર્જરનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના મર્જરને મંજૂરી આપી દીધી, ત્યાર બાદ હવે આ ત્રણેય બેંકના મર્જર બાદ બનનારી એક બેંકનું નવું નામ અને નવો લોગોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએનબી, ઓબીસી, અને યૂબીઆઈ બેંકોના મર્જથી બનનારી બેંકનું નવું નામ અને લોકો હશે જેની  જાહેરાત 1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. 1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર પીએનબી, યૂબીઆઈ અને ઓબીસી બેંકનોા મર્જરથી બનનારી બેંક માટે નવા નામની જાહેરાત કરશે. સાથે જ બેંકનો નવો લોગો પણ જારી કરવામાં આવશે. તમને જણાવીએ કે, આ ત્રણેય બેંકોના મર્જર બાદ બનનારી નવી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે. મર્જર બાદ બનનારી નવી બેંકના કુલ વેપારનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું હશે. યૂનાઇડેટ બૅંક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યુ કે, અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બૅંકોની જોડાણની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તેમજ આ અંગે તાલમેલ બેસાડવા માટે 34 સમિતિઓ બનાવવામાં આવી છે. સમીતિઓએ આ અંગે પોતાનો રિપોર્ટ પહેલા જ સોંપી દીધો છે. 1 એપ્રિલથી બદલાઈ જશે દેશની આ ત્રણ સરકારી બેંકોના નામ અને લોગો, જાણો તમારા ખાતા અને રૂપિયાનું શું થશે? તેમણે કહ્યુ કે, મુખ્ય બેંક પીએનબીએ Ernst & Youngને સલાહકાર તરીકે નીમી છે. જે તમામ પ્રક્રિયા પર નજર રાખશે. જેમાં માનવ સંસાધન, સોફ્ટવેર, સેવા વગેરે સામેલ છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્રણેય બૅંકોના જોડાણ પછી સંયુક્ત રીતે કર્મચારીઓની સંખ્યા એક લાખ પર પહોંચશે. નવી બેંક અસ્તિત્વમાં આવતા જૂની ત્રણેય બેંકના ગ્રાહકો પર પણ તેની સીધી અસર પડવાની છે. જે અનુસાર ગ્રાહકોને હવે નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. ગ્રાહકોને નવો IFSC કોડ મળશે જેના કારણે તેમને આ નવી વિગતો આવકવેરા વિભાગ, વીમા કંપની મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે. ઉપરાંત એસઆઈપી અથવા લોનના ઈએમઆઈ માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડશે. ગ્રાહકોને નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે. બીજી બાજુ એફડી અને રિકરિંગ ડિપૉઝિટ પર મળનારા વ્યાજમાં કોઈ બદલાવ નહીં થાય. ઉપરાંત લોનના વ્યાજમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. કેટલીક શાખાઓ બંધ કરવામાં આવી શકે છે જેના કારણે ગ્રાહકોએ નવી શાખામાં જવું પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget