શોધખોળ કરો

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપવામાં આવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ સૂર્ય ઘર હેઠળ યોગ્ય સોલાર સિસ્ટમ પસંદ કરો.
  • 1kW સિસ્ટમ નાના ઘરો માટે; 2kW મધ્યમ પરિવારો માટે.
  • મોટા ઉપકરણો માટે 3kW સિસ્ટમ, ₹78,000 સુધી સબસિડી મળે.
  • પોર્ટલ પર નોંધણી કરી સબસિડી માટે અરજી કરી શકાય.

વધતા વીજ બિલથી રાહત મેળવવા માટે હવે રૂફટોપ સોલાર સિસ્ટમ લોકોની પ્રથમ પસંદ બની રહી છે. કેન્દ્ર સરકારની PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપવામાં આવે છે. જોકે, ઘણા લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે તેમના ઘર માટે 1kW, 2kW કે 3kWમાંથી કઈ સોલાર સિસ્ટમ યોગ્ય રહેશે. યોગ્ય ક્ષમતા પસંદ કરવાથી વીજળીની જરૂરિયાત પણ પૂરી થાય છે અને વધારાનો ખર્ચ પણ બચી શકે છે.

કોના માટે યોગ્ય છે 1kW સોલાર સિસ્ટમ?

જો તમારા ઘરનું માસિક વીજ બિલ અંદાજે ₹1,000થી ₹1,500 વચ્ચે હોય તો 1kW સોલાર સિસ્ટમ યોગ્ય વિકલ્પ બની શકે છે. આ સિસ્ટમથી 3થી 4 LED બલ્બ, 2થી 3 પંખા, એક ટીવી, લેપટોપ અને નાનું ફ્રિજ સરળતાથી ચલાવી શકાય છે. તે દરરોજ લગભગ 4થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આ ક્ષમતા પર સરકાર તરફથી ₹30,000 સુધીની સબસિડી મળી શકે છે.

શા માટે સૌથી વધુ લોકપ્રિય છે 2kW સોલાર સિસ્ટમ?

મધ્યમવર્ગીય પરિવારો માટે 2kW સોલાર સિસ્ટમ સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. જો માસિક વીજ બિલ ₹1,500થી ₹3,000 વચ્ચે હોય તો આ સિસ્ટમ યોગ્ય વિકલ્પ છે. તેના દ્વારા કૂલર, વોટર પંપ, વોશિંગ મશીન અને 1 ટન ઇન્વર્ટર AC પણ મર્યાદિત લોડ સાથે ચલાવી શકાય છે. આ સિસ્ટમ દરરોજ 8થી 10 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે અને તેના પર ₹60,000 સુધીની સબસિડી મળે છે.

3kW સોલાર સિસ્ટમ કોના માટે શ્રેષ્ઠ?

જો તમારા ઘરમાં એર કન્ડિશનર, ગીઝર, મોટું ફ્રિજ, વોટર પંપ અને અન્ય ભારે વીજ ઉપકરણોનો નિયમિત ઉપયોગ થતો હોય, તો 3kW સોલાર સિસ્ટમ વધુ યોગ્ય રહેશે. આ સિસ્ટમ દરરોજ 12થી 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. 3kW અથવા તેથી વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ પર સરકાર તરફથી મહત્તમ ₹78,000 સુધીની સબસિડી ઉપલબ્ધ છે.

સબસિડી માટે અરજી કેવી રીતે કરવી?

PM સૂર્ય ઘર યોજનાના અધિકૃત પોર્ટલ પર સૌપ્રથમ નોંધણી કરાવવી પડે છે. ત્યારબાદ રૂફટોપ સોલાર માટે અરજી કરવાની રહેશે. સ્થાનિક ડિસ્કોમ (DISCOM) પાસેથી મંજૂરી મળ્યા બાદ અધિકૃત વેન્ડર દ્વારા સોલાર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. નેટ મીટર લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સબસિડીની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget