શોધખોળ કરો

હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, તમારા રૂપિયા હોય ફટાફટ ઉપાડી લેજો!

NSS interest rate update: કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય બચત યોજના (NSS) વિશે એક નિર્દેશ જારી કર્યો હતો. આ યોજનામાં 1 ઓક્ટોબર 2024થી વ્યાજની ચુકવણી બંધ થઈ જશે.

Post office NSS interest rate change: પોસ્ટ ઓફિસ હેઠળ ઘણી નાની બચત યોજનાઓ ચાલે છે, જેના નિયમોમાં ફેરફાર થતા રહે છે. હવે એક નવો ફેરફાર સામે આવ્યો છે. એક યોજનામાં જમા રકમ પર વ્યાજ આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર, જે થાપણદારોએ 37 વર્ષથી વધુ સમય પહેલા તેમના નાણાકીય ભવિષ્ય અને ભાવી પેઢીઓને સુરક્ષિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બચત યોજના (NSS)માં રોકાણ કર્યું હતું, તેમને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં તેમની સંપૂર્ણ રકમ ઉપાડી લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે તેમના જમા ભંડોળ પર વ્યાજની ચુકવણી બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને KYC માહિતી પણ અપડેટ કરવા કહેવામાં આવ્યું છે.

રોકાણકારોએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સાથે ગૂંચવાવું ન જોઈએ. રાષ્ટ્રીય બચત યોજના (NSS) તદ્દન અલગ યોજના છે, જેને 1992માં નવા રોકાણ માટે બંધ કરી દેવામાં આવી હતી. જોકે સરકાર આ યોજના હેઠળ ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી હતી અને હવે આ વ્યાજ પણ 1 ઓક્ટોબર 2024થી બંધ કરવામાં આવ્યું છે. માર્ચ 2003થી 30 સપ્ટેમ્બર 2024 સુધીની અવધિ માટે, NSS વ્યાજ દર 7.5% પ્રતિ વર્ષ હતી.

NSS યોજનાની શરૂઆત 1987માં થઈ હતી અને તે 1992 સુધી ચાલી, ત્યારબાદ તે જ વર્ષે તેને કામચલાઉ ધોરણે ફરીથી ખોલવામાં આવી હતી. જોકે તેને અંતે 2002માં બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયા છતાં, સરકારે હાલની થાપણો પર વ્યાજની ચુકવણી ચાલુ રાખી હતી.

NSS હેઠળ, થાપણદારોને વાર્ષિક ₹40,000 સુધીનું રોકાણ કરવાની તક મળતી હતી, જે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર હતી. ચાર વર્ષના લૉક ઇન પીરિયડ પછી, થાપણદારોને તેમની મૂળ થાપણ અને કમાયેલા વ્યાજ બંને ઉપાડવાની મંજૂરી હતી.

જો તમે 1 ઓક્ટોબર, 2024 પહેલા તમારા NSS ખાતામાં યોગદાન આપ્યું છે, તો તમને સપ્ટેમ્બર 2024ના અંત સુધી 7.5% પ્રતિ વર્ષના દરે વ્યાજ મળશે. 1 ઓક્ટોબર, 2024 પછી ખોલવામાં આવેલી કોઈપણ નવી થાપણ કે ખાતા માટે કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં.

સત્તાવાર નિયમો અનુસાર NSSમાંથી ઉપાડેલા ભંડોળ જે વર્ષે ઉપાડવામાં આવે છે તે વર્ષે કરપાત્ર બને છે. જોકે, જો થાપણદાર ભંડોળ ન ઉપાડે, તો કમાયેલું વ્યાજ ખાતામાં રહે ત્યાં સુધી કરમુક્ત રહેશે. જો થાપણદારનું મૃત્યુ થાય અને તેના વારસદારો ભંડોળ ઉપાડી લે, તો સંપૂર્ણ રકમ કરમુક્ત ગણવામાં આવશે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી આ રોગ મટે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget