શોધખોળ કરો

હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં નહીં મળે વ્યાજ, તમારા રૂપિયા હોય ફટાફટ ઉપાડી લેજો!

NSS interest rate update: કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય બચત યોજના (NSS) વિશે એક નિર્દેશ જારી કર્યો હતો. આ યોજનામાં 1 ઓક્ટોબર 2024થી વ્યાજની ચુકવણી બંધ થઈ જશે.

Post office NSS interest rate change: પોસ્ટ ઓફિસ હેઠળ ઘણી નાની બચત યોજનાઓ ચાલે છે, જેના નિયમોમાં ફેરફાર થતા રહે છે. હવે એક નવો ફેરફાર સામે આવ્યો છે. એક યોજનામાં જમા રકમ પર વ્યાજ આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર, જે થાપણદારોએ 37 વર્ષથી વધુ સમય પહેલા તેમના નાણાકીય ભવિષ્ય અને ભાવી પેઢીઓને સુરક્ષિત કરવાના હેતુથી રાષ્ટ્રીય બચત યોજના (NSS)માં રોકાણ કર્યું હતું, તેમને 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં તેમની સંપૂર્ણ રકમ ઉપાડી લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે તેમના જમા ભંડોળ પર વ્યાજની ચુકવણી બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને KYC માહિતી પણ અપડેટ કરવા કહેવામાં આવ્યું છે.

રોકાણકારોએ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સાથે ગૂંચવાવું ન જોઈએ. રાષ્ટ્રીય બચત યોજના (NSS) તદ્દન અલગ યોજના છે, જેને 1992માં નવા રોકાણ માટે બંધ કરી દેવામાં આવી હતી. જોકે સરકાર આ યોજના હેઠળ ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી હતી અને હવે આ વ્યાજ પણ 1 ઓક્ટોબર 2024થી બંધ કરવામાં આવ્યું છે. માર્ચ 2003થી 30 સપ્ટેમ્બર 2024 સુધીની અવધિ માટે, NSS વ્યાજ દર 7.5% પ્રતિ વર્ષ હતી.

NSS યોજનાની શરૂઆત 1987માં થઈ હતી અને તે 1992 સુધી ચાલી, ત્યારબાદ તે જ વર્ષે તેને કામચલાઉ ધોરણે ફરીથી ખોલવામાં આવી હતી. જોકે તેને અંતે 2002માં બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયા છતાં, સરકારે હાલની થાપણો પર વ્યાજની ચુકવણી ચાલુ રાખી હતી.

NSS હેઠળ, થાપણદારોને વાર્ષિક ₹40,000 સુધીનું રોકાણ કરવાની તક મળતી હતી, જે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર હતી. ચાર વર્ષના લૉક ઇન પીરિયડ પછી, થાપણદારોને તેમની મૂળ થાપણ અને કમાયેલા વ્યાજ બંને ઉપાડવાની મંજૂરી હતી.

જો તમે 1 ઓક્ટોબર, 2024 પહેલા તમારા NSS ખાતામાં યોગદાન આપ્યું છે, તો તમને સપ્ટેમ્બર 2024ના અંત સુધી 7.5% પ્રતિ વર્ષના દરે વ્યાજ મળશે. 1 ઓક્ટોબર, 2024 પછી ખોલવામાં આવેલી કોઈપણ નવી થાપણ કે ખાતા માટે કોઈ વ્યાજ આપવામાં આવશે નહીં.

સત્તાવાર નિયમો અનુસાર NSSમાંથી ઉપાડેલા ભંડોળ જે વર્ષે ઉપાડવામાં આવે છે તે વર્ષે કરપાત્ર બને છે. જોકે, જો થાપણદાર ભંડોળ ન ઉપાડે, તો કમાયેલું વ્યાજ ખાતામાં રહે ત્યાં સુધી કરમુક્ત રહેશે. જો થાપણદારનું મૃત્યુ થાય અને તેના વારસદારો ભંડોળ ઉપાડી લે, તો સંપૂર્ણ રકમ કરમુક્ત ગણવામાં આવશે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી આ રોગ મટે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
Gold Price Today: સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, આ શહેરમાં 18 કેરેટ સોનું પણ 1 લાખને પાર
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
Embed widget