શોધખોળ કરો

Post Office Scheme New Rule: 1 ઓક્ટોબરથી નાની બચત યોજનાઓ માટે આ 6 નવા નિયમો લાગુ થશે, લોકો પર થશે સીધી અસર!

નાણાં મંત્રાલયે સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેના હેઠળ 6 નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે, જે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે છે.

Post Office Scheme New Rule: પોસ્ટ ઓફિસની PPF, SSY અને NSS જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સરકારે આ યોજનાઓના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. જો તમે પણ આ યોજનાઓમાં રોકાણ કરો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ આવશ્યક છે. પોસ્ટ ઓફિસ માટે જારી કરાયેલી નવી માર્ગદર્શિકા તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ આર્થિક બાબતોના વિભાગે નવા નિયમોની માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ એકાઉન્ટ અનિયમિત જણાય છે તો તેને સ્થાપિત નિયમોના પાલન માટે નાણાં મંત્રાલય દ્વારા જરૂરી નિયમિતીકરણ માટે મોકલવામાં આવશે. આ માર્ગદર્શિકા હેઠળ વિભાગે 6 નવા નિયમો જારી કર્યા છે, જે રાષ્ટ્રીય બચત યોજના, લોક ભવિષ્ય નિધિ (PPF), અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે.

આ છે નવા નિયમો

અનિયમિત નેશનલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (NSS)

NSS 87 એકાઉન્ટ્સના કિસ્સામાં, પહેલા એકાઉન્ટ પર પ્રચલિત સ્કીમ દરો લાગુ થશે, જ્યારે બીજા એકાઉન્ટ પર બાકી રકમ પર 200 BPSના દરે પ્રચલિત POSA દર લાગુ થશે. 1 ઓક્ટોબર 2024થી બંને એકાઉન્ટ પર શૂન્ય % વ્યાજદર મળશે.

સગીર નામે ખોલાયેલું PPF એકાઉન્ટ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ના આવા એકાઉન્ટમાં POSA વ્યાજ ત્યાં સુધી મળશે જ્યાં સુધી વ્યક્તિ (સગીર) 18 વર્ષનો ન થાય. ત્યારબાદ લાગુ વ્યાજદરનું ચુકવણું કરવામાં આવશે અને પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્ત થાય છે.

એકથી વધુ PPF એકાઉન્ટ

પ્રાથમિક એકાઉન્ટ પર યોજનાના દરે વ્યાજ મળશે, જ્યારે બીજા એકાઉન્ટમાં બાકી રકમને પહેલા એકાઉન્ટમાં મર્જ કરી દેવામાં આવશે. મર્જર પછી પ્રાથમિક એકાઉન્ટ પર પ્રચલિત સ્કીમ દરે વ્યાજ મળતું રહેશે. વધારાના એકાઉન્ટ પર શૂન્ય % વ્યાજ મળશે.

NRI દ્વારા PPF એકાઉન્ટનું વિસ્તરણ

માત્ર તે NRI PPF એકાઉન્ટ્સ માટે જે 1968 હેઠળ ખોલવામાં આવ્યા છે અને જેમાં ફોર્મ H માં નિવાસી સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું નથી, તે 1 ઓક્ટોબરથી શૂન્ય વ્યાજદરને આધીન રહેશે.

સગીરના નામે અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (PPF અને SSY સિવાય)

આ એકાઉન્ટ્સને સાદા વ્યાજ સાથે નિયમિત કરવામાં આવશે. સાદા વ્યાજની ગણતરી પ્રચલિત POSA દરે કરવામાં આવશે.

વાલી સિવાય દાદા દાદી દ્વારા ખોલાયેલા SSY એકાઉન્ટ

દાદા દાદીના નામે ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ ખાતા હવે જીવિત માતા પિતા અથવા કાનૂની વાલીને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો પરિવારમાં બેથી વધુ ખાતા ખોલવામાં આવે છે તો અનિયમિત ખાતા બંધ કરી દેવામાં આવશે.

નવા નિયમોનો શું છે ઉદ્દેશ્ય?

નવા નિયમોનો ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસ એકાઉન્ટ્સમાં પારદર્શિતા વધારવાનો અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. તેથી, જો તમે પણ આ યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો નવા નિયમોને સમજવા અને તેના અનુસાર તમારા રોકાણનું મેનેજમેન્ટ કરવું આવશ્યક છે.

આ પણ વાંચોઃ

મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા અસલી છે કે નકલી, આ રીતે જાણી શકો છો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Embed widget