શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, સરકારે ઈ-કેવાયસીની સમયમર્યાદા વધારી, જાણો છેલ્લી તારીખ કઈ છે

હવે 30 એપ્રિલ સુધી કરાવી શકાશે ઈ-કેવાયસી, ચૂકી જશો તો મફત રાશન સહિતના લાભો બંધ થઈ જશે.

ration card e-KYC deadline: રાજ્યના લગભગ 5 લાખ રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે રેશનકાર્ડ ઈ-કેવાયસી (e-KYC) માટેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ, 2025 કરવામાં આવી છે.

રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને બોગસ રેશનકાર્ડને રદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશનકાર્ડ ધારકો એવા છે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી, સરકારે આ નાગરિકોને વધુ એક તક આપતા સમયમર્યાદા લંબાવી છે.

જો કે, સરકારે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, તેમનું રેશનકાર્ડ પણ રદ થઈ શકે છે. સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને જ રાશનકાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

હજુ પણ 5 લાખ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી રહેવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ જેમ કે નેટવર્કની ખામી અને ઈ-પોશ મશીનોમાં ખરાબી એક મોટું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, ઘણા લાભાર્થીઓ હજુ પણ ઈ-કેવાયસી પ્રક્રિયા વિશે પૂરતા જાગૃત નથી. ઘણા લોકો પોતાના મૂળ સ્થળથી દૂર રહેતા હોવાથી સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. વૃદ્ધો અને જેમની આંગળીઓની છાપ સ્પષ્ટ નથી આવતી તેમને પણ બાયોમેટ્રિક વેરિફિકેશનમાં મુશ્કેલી પડી રહી છે.

કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 30 એપ્રિલ, 2025 સુધીમાં 100 ટકા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જો આમ નહીં થાય તો લાખો લાભાર્થીઓ સબસિડી અને અનાજની ફાળવણી જેવી સુવિધાઓથી વંચિત રહી જશે.

સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ઈ-કેવાયસી કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઓફલાઈન પ્રક્રિયા માટે લાભાર્થીઓએ નજીકની સરકારી રાશનની દુકાન પર જવાનું રહેશે, જ્યાં આધાર કાર્ડ અને રેશન કાર્ડની મદદથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે. ઓનલાઈન ઈ-કેવાયસી માટે કેટલાક રાજ્યોમાં 'મેરા રાશન' એપ અથવા NFSA પોર્ટલની સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવો જરૂરી છે.

જે પાંચ લાખ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી હજુ બાકી છે, તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી આ છેલ્લી તકનો લાભ લેવા અને 30 એપ્રિલ પહેલાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં મળતા સરકારી લાભોથી વંચિત ન રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget