શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, સરકારે ઈ-કેવાયસીની સમયમર્યાદા વધારી, જાણો છેલ્લી તારીખ કઈ છે

હવે 30 એપ્રિલ સુધી કરાવી શકાશે ઈ-કેવાયસી, ચૂકી જશો તો મફત રાશન સહિતના લાભો બંધ થઈ જશે.

ration card e-KYC deadline: રાજ્યના લગભગ 5 લાખ રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે રેશનકાર્ડ ઈ-કેવાયસી (e-KYC) માટેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ, 2025 કરવામાં આવી છે.

રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને બોગસ રેશનકાર્ડને રદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રેશનકાર્ડ ધારકો એવા છે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી, સરકારે આ નાગરિકોને વધુ એક તક આપતા સમયમર્યાદા લંબાવી છે.

જો કે, સરકારે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, તેમનું રેશનકાર્ડ પણ રદ થઈ શકે છે. સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને જ રાશનકાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

હજુ પણ 5 લાખ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી રહેવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ જેમ કે નેટવર્કની ખામી અને ઈ-પોશ મશીનોમાં ખરાબી એક મોટું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, ઘણા લાભાર્થીઓ હજુ પણ ઈ-કેવાયસી પ્રક્રિયા વિશે પૂરતા જાગૃત નથી. ઘણા લોકો પોતાના મૂળ સ્થળથી દૂર રહેતા હોવાથી સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. વૃદ્ધો અને જેમની આંગળીઓની છાપ સ્પષ્ટ નથી આવતી તેમને પણ બાયોમેટ્રિક વેરિફિકેશનમાં મુશ્કેલી પડી રહી છે.

કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 30 એપ્રિલ, 2025 સુધીમાં 100 ટકા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જો આમ નહીં થાય તો લાખો લાભાર્થીઓ સબસિડી અને અનાજની ફાળવણી જેવી સુવિધાઓથી વંચિત રહી જશે.

સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ઈ-કેવાયસી કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઓફલાઈન પ્રક્રિયા માટે લાભાર્થીઓએ નજીકની સરકારી રાશનની દુકાન પર જવાનું રહેશે, જ્યાં આધાર કાર્ડ અને રેશન કાર્ડની મદદથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે. ઓનલાઈન ઈ-કેવાયસી માટે કેટલાક રાજ્યોમાં 'મેરા રાશન' એપ અથવા NFSA પોર્ટલની સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે લાભાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવો જરૂરી છે.

જે પાંચ લાખ રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી હજુ બાકી છે, તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી આ છેલ્લી તકનો લાભ લેવા અને 30 એપ્રિલ પહેલાં પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં મળતા સરકારી લાભોથી વંચિત ન રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget