શોધખોળ કરો

Repo Rate Hiked: મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં કર્યો વધારો, જાણો લોનનો હપ્તો કેટલો વધી શકે છે

મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે.

RBI News: RBI ગવર્નર શક્તિકાંત દાસ બપોરે 2 વાગ્યે એક નિવેદન બહાર પાડીને વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ લોનના હપ્તા વધી જશે જેના કારણે આમ આદમીને વધુ એક આંચકો લાગશે.

આરબીઆઈએ રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. 2 અને 3 મેના રોજ મોનેટરી પોલિસી કમિટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયો વધીને 4.50 ટકા થયો.

આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડશે. સામાન્ય રીતે બેંકો રેપો રેટ પર આરબીઆઈ પાસેથી નાણાં મેળવતી હોય છે. આ કારણે રેપો રેટમાં વધારો થવાથી બેંકોનો નાણાં મેળવવાનો ખર્ચ વધી જશે. આ ખર્ચ વધારાની અસર બેંકો ગ્રાહકો પર નાંખતી હોય છે અને લોનના વ્યાજ દરમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો થવાથી હવે લોન લેવી મોંઘી થશે.

વધતી જતી મોંઘવારી ચિંતાનું કારણ બની

હકીકતમાં, મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે. જે આરબીઆઈની 6 ટકાના ટાર્ગેટ કરતાં વધુ છે. એપ્રિલમાં 2022-23 માટે પ્રથમ દ્વિ-માસિક ધિરાણ નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નરે પોતે કહ્યું હતું કે કેન્દ્રીય બેંકની પ્રાથમિકતા હવે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની રહેશે. RBIના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે RBI ગવર્નર બપોરે 2 વાગ્યે નિવેદન આપશે.

બજારમાં ઘટાડો

RBI ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે નિવેદન જાહેર કર્યાના સમાચાર મળતાની સાથે જ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. RBI ગવર્નરનું નિવેદન જાહેર થતાં જ આજે નાણાકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

આરબીઆઈનું નિવેદન સામાન્ય નાણાકીય નીતિથી અલગ 

તમને જણાવી દઈએ કે આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન તેમના મોનેટરી પોલિસી એડ્રેસથી અલગ છે. અગાઉ એપ્રિલમાં આરબીઆઈએ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકની જાહેરાત કરી હતી અને આગામી નીતિ જૂનમાં આવશે. આવી સ્થિતિમાં પરંપરાગત જાહેરાતો સિવાય આરબીઆઈ ગવર્નરના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Embed widget