શોધખોળ કરો

રિલાયન્સના પડશે ભાગલા! શેરધારકોને મળશે મોટી ભેટ, જાણો શું છે મુકેશ અંબાણીની યોજના

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે.

Reliance Industries Demerger: દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને લેણદારોએ નાણાકીય સેવાઓનો વ્યવસાય ધરાવતી કંપની, રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે. આ નાણાકીય કંપનીનું નામ Jio Financial Services Limited હશે. ડિમર્જરની તરફેણમાં 100% મત પડ્યા છે. અને હવે આ સાથે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

પરંતુ આ ડિમર્જરને કારણે સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને થશે. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દરેક શેર માટે Jio ફાયનાન્સિયલ સર્વિસનો એક શેર ફાળવવામાં આવશે. પીઢ બેન્કર કે.વી. કામથ ડિમર્જર પછી નવા NTTના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર 2022 માં પરિણામોની જાહેરાત સાથે નાણાકીય સેવાઓ સંબંધિત કંપનીના વિભાજનની જાહેરાત કરી હતી. નવી કંપની BSE અને NSE પર લિસ્ટ થશે.

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે. જો કે, આ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા નિયમનકારની મંજૂરીની જરૂર પડશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે, તેમજ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. જેપી મોર્ગને તેની એક નોંધમાં કહ્યું હતું કે ડિજિટલ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સની મજબૂતાઈથી Jio ફાઈનાન્સિયલ સર્વિસિસને ઘણો ફાયદો થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીના ડિમર્જરને મંજૂરી મળ્યા બાદ ગુરુવારે રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. રિલાયન્સનો શેર રૂ. 28 અથવા 1.16 ટકાના વધારા સાથે રૂ. 2447 પર બંધ થયો છે.

નાણાકીય ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રી સાથે, ખાસ કરીને Paytm અને બજાજ ફાઇનાન્સને સખત સ્પર્ધા મળી શકે છે. પાછલા નાણાકીય વર્ષમાં, રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ અને આરએસઆઇએલની આવક રૂ. 1535.6 કરોડ અને સંયુક્ત એસેટ બેઝ રૂ. 27,964 કરોડ હતી. રિલાયન્સે માર્ચમાં શેરબજારોને જણાવ્યું હતું કે NCLTએ તેની યોજનાને મંજૂરી આપી દીધી છે. નાણાકીય સેવાઓને અલગ કરવાની જાહેરાત કરતા, મુકેશ અંબાણીએ ગયા વર્ષે કહ્યું હતું કે Jio Financial એ ટેક્નોલોજી આધારિત બિઝનેસ હશે. રિલાયન્સના કન્ઝ્યુમર બિઝનેસની સમગ્ર ભારતમાં હાજરી છે અને તે નાણાકીય ઉત્પાદનોને ડિજિટલી પહોંચાડવા માટે તેનો લાભ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget