![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રિલાયન્સના પડશે ભાગલા! શેરધારકોને મળશે મોટી ભેટ, જાણો શું છે મુકેશ અંબાણીની યોજના
એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે.
![રિલાયન્સના પડશે ભાગલા! શેરધારકોને મળશે મોટી ભેટ, જાણો શું છે મુકેશ અંબાણીની યોજના RIL Demerger: Reliance shareholders get gift, will get Jio Financial Services share, demerger sealed રિલાયન્સના પડશે ભાગલા! શેરધારકોને મળશે મોટી ભેટ, જાણો શું છે મુકેશ અંબાણીની યોજના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/e83282af0954c7656909648a5bfe7f5b1681886983209279_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Reliance Industries Demerger: દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને લેણદારોએ નાણાકીય સેવાઓનો વ્યવસાય ધરાવતી કંપની, રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે. આ નાણાકીય કંપનીનું નામ Jio Financial Services Limited હશે. ડિમર્જરની તરફેણમાં 100% મત પડ્યા છે. અને હવે આ સાથે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.
પરંતુ આ ડિમર્જરને કારણે સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને થશે. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દરેક શેર માટે Jio ફાયનાન્સિયલ સર્વિસનો એક શેર ફાળવવામાં આવશે. પીઢ બેન્કર કે.વી. કામથ ડિમર્જર પછી નવા NTTના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર 2022 માં પરિણામોની જાહેરાત સાથે નાણાકીય સેવાઓ સંબંધિત કંપનીના વિભાજનની જાહેરાત કરી હતી. નવી કંપની BSE અને NSE પર લિસ્ટ થશે.
એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે. જો કે, આ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા નિયમનકારની મંજૂરીની જરૂર પડશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે, તેમજ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. જેપી મોર્ગને તેની એક નોંધમાં કહ્યું હતું કે ડિજિટલ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સની મજબૂતાઈથી Jio ફાઈનાન્સિયલ સર્વિસિસને ઘણો ફાયદો થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીના ડિમર્જરને મંજૂરી મળ્યા બાદ ગુરુવારે રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. રિલાયન્સનો શેર રૂ. 28 અથવા 1.16 ટકાના વધારા સાથે રૂ. 2447 પર બંધ થયો છે.
નાણાકીય ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રી સાથે, ખાસ કરીને Paytm અને બજાજ ફાઇનાન્સને સખત સ્પર્ધા મળી શકે છે. પાછલા નાણાકીય વર્ષમાં, રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ અને આરએસઆઇએલની આવક રૂ. 1535.6 કરોડ અને સંયુક્ત એસેટ બેઝ રૂ. 27,964 કરોડ હતી. રિલાયન્સે માર્ચમાં શેરબજારોને જણાવ્યું હતું કે NCLTએ તેની યોજનાને મંજૂરી આપી દીધી છે. નાણાકીય સેવાઓને અલગ કરવાની જાહેરાત કરતા, મુકેશ અંબાણીએ ગયા વર્ષે કહ્યું હતું કે Jio Financial એ ટેક્નોલોજી આધારિત બિઝનેસ હશે. રિલાયન્સના કન્ઝ્યુમર બિઝનેસની સમગ્ર ભારતમાં હાજરી છે અને તે નાણાકીય ઉત્પાદનોને ડિજિટલી પહોંચાડવા માટે તેનો લાભ લેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)