શોધખોળ કરો

જૂનમાં બદલાઈ જશે ડ્રાઈવિંગ લાઈસન્સ, આધાર અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો, ચેક કરો 

આગામી મહિનામાં એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમય મર્યાદા પણ સમાપ્ત થઈ જશે.

આગામી મહિનામાં એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમય મર્યાદા પણ સમાપ્ત થઈ જશે. આ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત કેટલાક નિયમોમાં પણ ફેરફાર થશે. કારણ કે આ ફેરફારો તમારી સાથે સીધો સંબંધ ધરાવે છે, તમારા માટે તેમના વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 જૂન 2024થી ઘણા બદલાવ થશે. 

એલપીજી સિલિન્ડરની કિંમતો

એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નવેસરથી નક્કી કરવામાં આવે છે. પેટ્રોલિયમ કંપનીઓ મહિનાના છેલ્લા દિવસે મધ્યરાત્રિએ આની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે 1 જૂન, 2024 ના રોજ, પેટ્રોલિયમ કંપનીઓ ઘરેલુ અને વ્યવસાયિક એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. મે મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ

1 જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. જૂનથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં ફેરફાર થશે. હવે તમે આ ટેસ્ટ આરટીઓ કચેરીઓ તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો. આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે RTOની મુલાકાત લેવાથી બચી જશે.

1 જૂનથી ટ્રાફિકના કેટલાક નિયમો વધુ કડક બનશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા વાહન ચલાવવા પર 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો લાયસન્સ કેન્સલ થશે એટલું જ નહીં પરંતુ 25 વર્ષ સુધી નવું લાઇસન્સ પણ આપવામાં આવશે નહીં.

આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ

તમે ફક્ત 14 જૂન સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશો. જો તમે 14 જૂન પછી તમારું આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તમારે તેના માટે કેટલીક ફી ચૂકવવી પડી શકે છે. તમે ઘરે બેસીને અથવા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તમારે હજુ પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને અપડેટ કરવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. તમે UIDAI પોર્ટલ પર તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો.

આવકવેરા વિભાગે તાજેતરના નોટિફિકેશનમાં કરદાતાઓને તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને 31 મે સુધીમાં આધાર સાથે લિંક કરવા જણાવ્યું છે જેથી ઊંચા દરે કર કપાત ટાળી શકાય. જો કોઈ કરદાતાનું PAN તેના આધાર સાથે લિંક ન હોય, તો 1 જૂનથી સામાન્ય દરથી બમણા દરે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) કાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video Viral

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Assam Investment Summit: ગૌતમ અદાણીએ કરી આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત, રોજગારીની વધશે તકો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
Mahashivratri 2025: મહાશિવરાત્રિની ચાર પ્રહરની પૂજાનો શું છે સમય, ક્યારે કરવાથી મળશે સારુ ફળ, જાણો
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
શું તમારા નામે એક્ટિવ નથી ને નકલી સિમ કાર્ડ? કરોડો મોબાઇલ યુઝર્સને સરકારે કર્યા એલર્ટ
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા
Embed widget