શોધખોળ કરો

હવે OYO કે કોઈપણ હોટલમાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની જરૂર નથી: UIDAI લાવી રહ્યું છે નવો નિયમ

UIDAI new rule: પ્રાઈવસીને લઈને સરકાર ગંભીર, આધાર ડેટા લીક થતો અટકાવવા પેપરલેસ સિસ્ટમ આવશે, ફોટોકોપી માંગવી એ કાયદાનું ઉલ્લંઘન ગણાશે.

UIDAI new rule: જો તમે અવારનવાર મુસાફરી કરો છો અને હોટલમાં રોકાવ છો, તો આ સમાચાર તમને મોટી રાહત આપશે. હવે OYO રૂમ્સ કે અન્ય કોઈપણ હોટલમાં ચેક-ઈન વખતે તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી (ઝેરોક્ષ) આપવાની જરૂર રહેશે નહીં. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નાગરિકોની અંગત માહિતી સુરક્ષિત રાખવા માટે એક નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. હવે હોટલ કે અન્ય સંસ્થાઓ માત્ર QR કોડ સ્કેન કરીને અથવા એપ દ્વારા જ તમારી ઓળખની ખરાઈ કરશે, જેથી પેપરલેસ વેરિફિકેશન શક્ય બનશે.

આધારની ઝેરોક્ષ માંગવી હવે ગણાશે ગેરકાયદેસર

UIDAI ના CEO ભુવનેશ કુમારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે નાગરિકોની ગોપનીયતા (Privacy) અને ડેટાની સુરક્ષા સરકાર માટે સર્વોપરી છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ઓથોરિટી ટૂંક સમયમાં એક નવું નોટિફિકેશન બહાર પાડશે. આ નવા નિયમ મુજબ, હવેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ કે અન્ય કોઈપણ ખાનગી સંસ્થાઓ ગ્રાહક પાસે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની ફિઝિકલ કોપી માંગી શકશે નહીં. આધાર એક્ટ મુજબ બિનજરૂરી રીતે ફોટોકોપી એકઠી કરવી એ કાયદાનું ઉલ્લંઘન ગણાશે.

નવી ટેકનોલોજી: QR કોડ અને એપ દ્વારા વેરિફિકેશન

હવે સવાલ એ થાય કે ઝેરોક્ષ નહીં આપીએ તો વેરિફિકેશન કેવી રીતે થશે? આ માટે UIDAI રજિસ્ટર્ડ સંસ્થાઓને અધ્યતન ટેકનોલોજી પૂરી પાડશે.

QR કોડ સ્કેનિંગ: હોટલ સંચાલકો હવે ગ્રાહકના આધાર કાર્ડ પર આપેલો QR કોડ સ્કેન કરીને તરત જ વેરિફિકેશન કરી શકશે.

નવી એપ: UIDAI હાલમાં એક નવી એપનું 'બીટા-ટેસ્ટિંગ' કરી રહ્યું છે. આ એપ દ્વારા 'એપ-ટુ-એપ' વેરિફિકેશન થશે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયામાં દરેક વખતે સેન્ટ્રલ ડેટાબેઝ સાથે કનેક્ટ થવાની જરૂર રહેશે નહીં, જે પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવશે.

એરપોર્ટ અને દુકાનો પર પણ લાગુ થશે નિયમ

માત્ર હોટલો જ નહીં, પરંતુ આ નવો નિયમ એરપોર્ટ અને અમુક ચોક્કસ વસ્તુઓ વેચતી દુકાનો (જ્યાં ઉંમરની ખરાઈ જરૂરી હોય) પર પણ લાગુ થશે. આ તમામ સ્થળોએ હવે પેપરલેસ વેરિફિકેશનને પ્રોત્સાહન આપવામાં આવશે. જે સંસ્થાઓ ઓફલાઈન વેરિફિકેશન કરે છે, તેમને પોતાની સિસ્ટમ અપડેટ કરવા માટે UIDAI તરફથી API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) આપવામાં આવશે.

ડેટા લીક અને દુરુપયોગ પર લાગશે લગામ

ભુવનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવી પહેલનો મુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષા છે. ઘણીવાર હોટલોમાં આપેલી આધારની ઝેરોક્ષનો દુરુપયોગ થવાની ભીતિ રહેતી હોય છે. પેપરલેસ સિસ્ટમથી આ જોખમ સંપૂર્ણપણે નાબૂદ થશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થવા જઈ રહેલા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' (DPDP Act) સાથે સુસંગત હશે, જે નાગરિકોના ડેટાને વધુ સુરક્ષિત બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Advertisement

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget