શોધખોળ કરો

Cancer Risk: Dove થી કેન્સરનો ખતરો ! યુનિલિવરે પરત ખેંચ્યા અનેક પ્રકારના ડ્રાય શેમ્પૂ

Dove: .યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અનુસાર, આ ઉત્પાદનો ઓક્ટોબર 2021 પહેલા બનાવવામાં આવ્યા હતા અને દેશભરના રિટેલર્સને વિતરણ કરવામાં આવ્યા હતા.

Unilever Recalled:   જાણીતી કંપની યુનિલિવરની ઘણી બ્રાન્ડના શેમ્પૂમાં કેન્સર પેદા કરતું કેમિકલ મળી આવ્યું છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી Dove, Nexxus, Suave, TIGI અને TRESemmé Aerosol Dry Shampoosને પાછા બોલાવ્યા છે. સીએનએનના અહેવાલ મુજબ, તેમાં બેન્ઝીનની હાજરી મળી આવી છે. આ રસાયણ કેન્સરનું કારણ બની શકે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અનુસાર, આ ઉત્પાદનો ઓક્ટોબર 2021 પહેલા બનાવવામાં આવ્યા હતા અને દેશભરના રિટેલર્સને વિતરણ કરવામાં આવ્યા હતા.

કઈ કઈ પ્રોડક્ટ પરત ખેંચી

જે  પ્રોડક્ટ્સ પરત ખેંચવામાં આવી છે તેમાં ડવ ડ્રાય શેમ્પૂ વોલ્યુમ એન્ડ ફુલનેસ, ડવ ડ્રાય શેમ્પૂ ફ્રેશ કોકોનટ, નેક્સસ ડ્રાય શેમ્પૂ રિફ્રેશિંગ મિસ્ટ અને સુવે પ્રોફેશનલ્સ ડ્રાય શેમ્પૂ રિફ્રેશ એન્ડ રિવાઈવનો સમાવેશ થાય છે.

બેન્ઝીન કેવી રીતે શરીરમાં પ્રવેશી શકે છે

બેન્ઝીન મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. FDA એ તેની રિકોલ નોટિસમાં કહ્યું છે કે બેન્ઝીન માનવ શરીરમાં અનેક રીતે પ્રવેશી શકે છે. તે ગંધ દ્વારા, મોં દ્વારા અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેનાથી લ્યુકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે.

પ્રોડક્ટના પૈસા પરત મેળવવા શું કરશો

FDA કહે છે કે લોકોએ આવા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને તેમના પૈસા પાછા મેળવવા માટે UnileverRecall.comની વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. યુનિલિવરે તરત જ આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

એરોસોલ પર ફરીથી પ્રશ્નો ઉભા થયા

યુનિલિવરનું પગલું ફરી એકવાર પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં એરોસોલ્સની હાજરી પર સવાલો ઉભા કરી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન બજારમાંથી ઘણી એરોસોલ સનસ્ક્રીન મંગાવવામાં આવી છે. તેમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની પ્રોડક્ટ પણ સામેલ હતી. આ ઉપરાંત ગયા વર્ષે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેરકેર ઉત્પાદનોને પાછા બોલાવ્યા હતા. તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થતો હતો.  

ટેટૂ બનાવ્યા બાદ એક વર્ષ સુધી ભૂલથી પણ ન કરો રક્તદાન, આ ગંભીર બીમારીનો બની શકો છો શિકાર

ટેટૂ કરાવવું એ આજે ​​ફેશન અને જીવનશૈલીનો એક ભાગ છે. બાળકો, યુવાનો, દરેકમાં ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મહિલાઓ પણ આમાં પાછળ નથી. જો તમે પણ ટેટૂ કરાવવાના શોખીન છો તો તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ. ઘણી વખત લોકો ટેટૂ કરાવ્યા પછી રક્તદાન કરવા માટે બહાર જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે ખૂબ જ ખતરનાક છે. નહિંતર, આજે જાણો, ટેટૂ કરાવ્યા પછી શરીર પર શું અસર થાય છે. તમે ટેટૂ કરાવ્યા પછી રક્તદાન કેમ નથી કરી શકતા.

આજકાલ લગભગ દરેક ઉંમરના લોકો પોતાના શરીર પર ટેટૂ કરાવતા હોય છે અથવા તો પ્લાનિંગ કરતા હોય છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો તેમના શરીરના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ડિઝાઈનવાળા ટેટૂ બનાવતા હોય છે. ટેટૂ કરાવ્યા બાદ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ટિપ્સ પણ આપવામાં આવે છે. સૌપ્રથમ તો લોકોને લોહીને લગતી કોઈપણ બીમારી વિશે માહિતી આપવાની હોય છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો માને છે કે ટેટૂ કરાવ્યા પછી રક્તદાન ન કરવું જોઈએ. કેટલાક લોકો માને છે કે ટેટૂ કરાવ્યા પછી ક્યારેય રક્તદાન કરી શકાતું નથી. આવો જાણીએ તેના વિશેની હકીકતો...

 હેલ્થ એક્સપર્ટના મતે, ટેટૂ કરાવ્યા પછી તરત જ બ્લડ ડોનેટ કરવું ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. ટેટૂ બનાવવા માટે વપરાતી સોય અને શાહી હેપેટાઈટીસ બી, હેપેટાઈટીસ સી અને એચઆઈવી જેવા રક્ત સંબંધિત રોગોના સંક્રમણનું જોખમ ઊભું કરે છે. ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સોય દરેક વ્યક્તિ માટે અલગથી બહાર કાઢવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, રક્ત સંબંધિત રોગોના ચેપનું જોખમ રહેલું છે.  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget