શોધખોળ કરો

BSNL અને MTNL માટે મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, બંન્ને કંપનીઓ થશે મર્જ

ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બીએસએનએલ સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. અમે BSNL અને MTNL ને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.

નવી દિલ્હી: લાંબા સમયથી ખોટના ખાડામાં ચાલી રહેલી BSNL અને MTNL કંપનીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આ બન્ને કંપનીઓને વિલય કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવ્યા હતા કે આ બન્ને સરકારી ટેલિકૉમ કંપનીઓને સરકાર બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો કે બાદમાં સરકારે આ ખબરોને નકારી દીધી હતી. ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બીએસએનએલ સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. અમે BSNL અને MTNL ને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર બીએસએનએલ માટે એક આકર્ષક VRS પેકેજ લાવવામાં આવશે. આ સાથે 4 જી સ્પેક્ટ્રમ માટે અંદાજે 4000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાનું મોનિટાઇઝેશન કરવામાં આવશે. આ સાથે જ 15 હજાર કરોડના બોન્ડ પણ જાહેર કરવામાં આવશે. ખોટ બનાવતી બીએસએનએલે 2015 માં 4G સ્પેક્ટ્રમની ફાળવણી અંગે સરકારને અરજી કરી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પેકેજ માટે મંજૂરી માંગી હતી જે 2009 થી બાકી છે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2017-18માં બીએસએનએલનું નુકસાન 7,992 કરોડ રૂપિયા હતું. આ અગાઉ 2016-17માં કંપનીને 4,786 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મુજબ, ફક્ત 1 વર્ષમાં 3,206 કરોડનું નુકસાન થયું છે. BSNL અને MTNLની દુર્દશાના કારણે કર્મચારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પગાર મળવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ખરેખર, બીએસએનએલને માસિક પગાર રૂ. 850 કરોડ ચૂકવવાના છે. હાલમાં બીએસએનએલના લગભગ 1.80 લાખ કર્મચારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : EVM કોના બાપનું ? । abp AsmitaHun To Bolish : કોરોનાની આ વેક્સીન હતી જોખમી ? । abp AsmitaJamnagar News । જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો પર હિચકારો હુમલોBhavnagar News । ભાવનગરના બોરતળાવમાં 25 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
સરકારી નોકરીઃ બીએસએફમાં અધિકારી બનવાની શાનદાર તક, મળશે 200000 રૂપિયાનો પગાર
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ
Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ
Sam Pitroda Resigns: વંશીય ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સેમ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
Sam Pitroda Resigns: વંશીય ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સેમ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
DRDOમાં નીકળી આટલા પદ પર ભરતી, 67 હજાર મળશે પગાર, આ રીતે કરો અરજી
DRDOમાં નીકળી આટલા પદ પર ભરતી, 67 હજાર મળશે પગાર, આ રીતે કરો અરજી
Embed widget